________________
પાપ, પુણ્ય અને સંયમ યોગ્યકાળે સુમુખ પિતાનું આયુષ્ય પૂરું કરી, હસ્તિશીર્ષક નગરમાં અદીનશત્રુ રાજાને ત્યાં ધારિણુદેવીની કુખે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તે જ આ સુબાહુ. તેણે પોતાની આ માનુષી સંપત્તિ એ રીતે પ્રાપ્ત કરી છે. •
તે સાંભળી ગૌતમે પૂછયું: હે ભગવન ! આ સુબાહુકુમાર આપની પાસે સાધુ થશે કે નહીં ?'
ભગવાને કહ્યું, “હા, થશે.”
ત્યારબાદ ભગવાન મહાવીર વગેરે તે નગરમાંથી નીકળી બીજે ચાલ્યા ગયા.
પેલો સુબાહુકુમાર ભગવાનના ગયા બાદ જન ગૃહસ્થ (શ્રમણ પાસક) ના આચાર-વિચાર વિધિપૂર્વક પાળવા લાગ્યો. તેણે જીવ શું, અજીવ શું વગેરે ધર્મસિદ્ધાંતિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તથા પાપ-પુણ્ય એટલે શું, પાપકર્મ શાથી બંધાય છે, તેને કેવી રીતે રોકી શકાય. કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે, કઈ અશુભ છે, તેમજ જીવનવ્યવહારનાં વિવિધ સાધનોમાંથી ક્યાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે, એ બધાની સમજ તેણે પ્રાપ્ત કરી. કોઈ પણ કાર્યમાં તે બીજાની આશા ઉપર નિર્ભર રહેતે નહાતો, તેમજ કાઈથી તે ગાંજ્યો જાય તેવો નહોતો. જન સિદ્ધાંતમાં તે એવો ચુસ્ત બન્યું કે, દેવ વગેરે આવીને તેને ગમે તેટલે ભમાવે, તે પણ તે ભમે નહીં. તેને જૈન સિદ્ધાંતમાં વર્ણવેલ તો બાબત શંકા નહોતી, કે તેમાં જણાવેલા આચાર બાબત વિચિકિત્સા નહતી. તેણે શાસ્ત્રાધ્યયન કરી તેના અર્થને - ૧. મૂળમાં રાણીને ગર્ભાવસ્થામાં પિતાના મુખમાં સિંહ દાખલ થયાનું સ્વપ્ર આખ્યાને ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org