________________
સુબાહુની કથા ઘેર બ્રહ્મચારી હતા, ધ્યાનરત હતા; તથા શરીરની પરવા તેમજ ટાપટીપ વિનાના હતા. પોતાના ઉપવાસનું પારણું કરવા માટે ગુરુની અનુજ્ઞાથી તે નગરમાં ભિક્ષા માગવા નીકળ્યા. ફરતાં ફરતાં તે સુમુખને ઘેર આવી પહોંચ્યા. તેમને આવતા જોઈ સુમુખ અત્યંત પ્રસન્ન તથા સંતુષ્ટ થઈ, આસનેથી ઝટ ઊભો થયો અને પાદપીઠ ઉપરથી નીચે ઊતર્યો. પછી તેણે પગમાંથી પાદુકાઓ કાઢી નાખી, ખેસને જઈની પેઠે વીંટાળ્યો, અને સાત પગલાં સામા જઈ ત્રણ વાર પ્રદક્ષિણા કરી તેમને નમસ્કાર કર્યા. ત્યારબાદ તેમને પુષ્કળ અન્નપાનથી તૃપ્ત કરવાનો પ્રસંગ મળવાથી હર્ષિત થતો થતો તે ઘરની અંદર ગયે, અને ત્રણ પ્રકારે નિર્દોષ એવું અન્નપાન મન-વાણુ-કાયાની શુદ્ધતાપૂર્વક તેમને અર્પીને તેમને સત્કાર કર્યો. તેના એ પુણ્યકર્મથી જ તરત તેને સંસારભ્રમણને કાળ મર્યાદિત બની ગયે, અને તેને બીજા જન્મમાં પણ મનુષ્યદેહ મળે તેમ થયું. વળી તે જ વખતે તેના ઘરમાં આ પાંચ દિવ્ય વસ્તુઓ પ્રગટ થઈ. ધનની વૃષ્ટિ, પાંચવર્ણનાં પુષ્પોની વૃષ્ટિ, ધ્વજારૂપ વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિને ગડગડવું, અને આકાશ વિષે “હે દાન!, અહે દાન !' એવી
થોડી વારમાં નગરના લોકોમાં પણ એ વાત ફેલાઈ ગઈ, અને લોકો સુમુખને અને તેના મનુષ્યજન્મને ધન્યવાદ દેવા લાગ્યા, તથા તેના પુણ્યશાળીપણાને અભિનંદવા લાગ્યા. એ
૧. તેને “એક શાટિક-ઉત્તરાસંગ' કહે છે. ૨ આપનારની, લેનારની, અને આપેલી વસ્તુની દષ્ટિએ શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org