________________
૮ર
પાપ, પુણય અને સંયમ સાધુપણાની દીક્ષા લે છે, તેમ મારાથી બની શકે તેમ નથી. તેથી હું તો આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતાવાળા ગૃહસ્થધર્મની દીક્ષા લેવા ઈચ્છું છું.
ભગવાને જવાબ આપ્યો, “હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ થાય તેમ કર.'
ત્યાર બાદ સુબાહુએ ભગવાન પાસે જીવન સુધી મન-વચન-કાયાથી, [૧] સ્થૂલ હિંસા ન કરવાની તેમજ ન કરાવવાની, [૨] સ્થૂલ અસત્ય ન બોલવાની તેમજ ન બોલાવવાની, [૩] સ્કૂલ ચૌય ન કરવાની તેમજ ન કરાવવાની, [૪] સ્વદારા-સંતોષવ્રત પાળવાની [૫] અને પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તે ઉપરાંત તેણે [૧] પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિણામ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવાનું “દિગ્વિરતિવત' લીધું; [૨] બહુ અધર્મના સંભવવાળી ખાનપાન-કપડાં-વાસણુકૂસણ વગેરે વસ્તુઓનો ત્યાગ કરી, એાછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભોગ માટે પરિમાણ બાંધવા રૂપી “ઉપભોગપરિભેગપરિમાણ વ્રત' લીધું; [૩] પિતાના ભાગ રૂપે પ્રયોજન માટે થતા અધર્મવ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવારૂપ-અર્થાત
૧. એ પાંચ અણુવ્રત” છે. કોઈપણ સંજોગોમાં કોઈ પણ પ્રકારે હિંસા ન કરવી – ન કરાવવી – કે કરનારને અનુમતિ ન આપવી, એ અહિંસાનું “મહાવ્રત” થયું. પરંતુ ગૃહસ્થ તેવું મહાવ્રત પાળી શકે નહિ; એટલે હિંસા વિષયક અમુક મર્યાદાઓ તે સ્વીકારી લે છે. તે “અણુવ્રત” થયું કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org