________________
સુબાહુની કથા ત્યારબાદ સુબાહુકુમાર પિતાની સ્ત્રીઓ સાથે ગાનતાનવિલાસાદિથી ઉત્તમ માનુષી ભેગે ભેગવત રહેવા લાગે.
એક વખત ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને આવેલા જાણું લોકેનાં ટોળેટોળાં તેમનાં દર્શને જવા ઊલટયાં. ' સુબાહુકુમારે પિતાના વિલાસગૃહમાંથી લોકોની એ હિલચાલ જોઈ પોતાના કંચુકીને પૂછયું કે, આજે લોકોની આ ભારે હિલચાલ શાની મચી છે?
કંચુકીએ કહ્યું કે, “આજે હસ્તિશીર્ષ નગરની બહાર ઈશાન ખૂણામાં આવેલા પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં શ્રમણભગવાન મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શન કરવા ઉત્સુક થયેલા લેકની આમ મેદની જામી છે. •
આ સમાચાર સાંભળી સુબાહુકુમાર પણ તેમનાં દર્શને જવા માટે ઉત્સુક થયે, અને પિતાને ચાર ઘંટાવાળે અશ્વરથ તૈયાર કરાવી ભગવાન મહાવીર જ્યાં ઊતર્યા હતા તે તરફ ત્વરાથી જવા લાગ્યો.
શ્રમણભગવાન મહાવીરે ત્યાં આવેલા સૌને વિવિધ પ્રકારે ધર્મોપદેશ કર્યો. ભગવાનનો આ પ્રકારનો ઉપદેશ સાંભળીને સુબાહુકુમાર ઘણે પ્રસન્ન થયે, સંતોષ પામે, અને જાણે પિતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યો. તે ફરી ફરી ભગવાન મહાવીરને નમસ્કાર કરીને તેમની ઉપાસના કરે તો તેમને કહેવા લાગ્યોઃ “હે ભગવન ! તમારું કથન મને ગમ્યું છે, તમારા સિદ્ધાંતમાં મને શ્રદ્ધા-પ્રીતિ તથા રુચિ ઉત્પન્ન થયાં છે; પરંતુ હે ભગવન! જેમ બીજા અનેક લોકો ઘરબાર છોડી, આપની પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org