________________
સુબાહુની કથા પૂર્વે હતિશીર્ષ નામે નગર હતું. તેમાં અદીનશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને એક હજાર રાણુઓ હતી. તેમાં ધારિણદેવી પટ્ટરાણું હતી.
એક વાર ધારિણું રાણું રાત્રે મચ્છરદાનીથી ઢંકાયેલા પલંગ ઉપર નરમ, સુંવાળા અને સુવાસિત એછાડથી આચ્છાદિત બિછાનામાં અર્ધજાગૃત અવસ્થામાં સૂતી હતી. તેવામાં તેણે સર્વલક્ષણસંપન્ન, રૂપાના ઢગલા જેવો સફેદ, તથા સાત હાથ ઊંચે એ એક ગજરાજ પિતાના મુખમાં પેસતો હોય તેવું સ્વપ્ન જોયું.
સ્વપ્નથી હર્ષિત થઈને રાણીએ રાજા પાસે જઈને તેની વિગતો તેને કહી સંભળાવી. રાજાએ બીજે દિવસે સ્વપ્ન પાઠકને બેલાવીને તે સ્વપ્નને અર્થ કરાવ્યો. તેઓએ જણાવ્યું કે, “આ સ્વપ્નથી તમને અર્થ લાભ, પુત્રલાભ, રાજ્યલાભ અને ભેગસૌ લાભ થશે એવું સૂચિત થાય છે. પૂરા નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ રાણુની કૂખે કુળદીપક પુત્રને જન્મ થશે. તે શુરવીર થઈ, કાં તો રાજ્યને સ્વામી થશે, અથવા આત્મોદ્ધારક સાધુ થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org