________________
૧૦
અજૂની કથા
જૂના કાળમાં વમાનપુર નામે નગર હતું. ત્યાં વિજયમિત્ર નામે રાજા રાજ્ય કેરતા હતા. તે જ નગરમાં ધનદેવ નામે તાલેવંત સંધવી રહેતા હતા. તેની પત્નીનું નામ પ્રિયગ્ હતું, તથા તેની પુત્રીનું નામ અજૂં હતું. તે રૂપ-લાવણ્યમાં અનુપમ હતી, તથા તેનું શરીર સુકુમાર તથા પ્રમાણુસર હતું.
એક વખત મહાવીર સ્વામી ક્રૂરતા કરતા તે નગરમાં આવી પહેાંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ નગરમાં કરતા હતા, તેવામાં વિજયમિત્ર રાજાના મહેલની અશાકવાટિકાની પાસે થઈને જતાં તેમણે એક હાડપિંજર જેવી થઈ ગયેલી સ્ત્રીને વેદનાથી ભરેલી કરુણાજનક મેાટી ચીસેા પાડતી જોઈ. ભૂખથી તેનું શરીર સુકાઈ ગયું હતું, તથા તેના શરીરમાં માત્ર હાડકાં જ ખખડતાં હતાં. તેને જોઈ તેમને વિચાર આવ્યેા કે, આ સ્ત્રીએ પૂર્વે એવાં તે શાં પાપકમ કર્યાં હશે, જેથી તેને આવું ભયંકર કષ્ટ વેઠવું પડે છે.
ઉતારે પાછા જઈને મહાવીરસ્વામીને તે બાબત પૂછતાં, તેમણે તે સ્ત્રીની કથા નીચે મુજબ કહી સંભળાવી.
હે ગૌતમ! પૂર્વે અહીં ભારતવર્ષમાં જ ઈંદ્રપુર નામે નગર હતું. ત્યાં ઇંદ્રદત્ત નામે રાજા રાજ્ય કરતા હતા, તે જ નગરમાં પૃથિવીશ્રી નામે ગણિકા રહેતી હતી. તે ગણિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org