________________
તેમાં ગુનેગાર કેશુ? હું છું. હું એવા પદ ઉપર છું, તથા મારી પાસે એવાં સાધને છે કે, હું જે ધારું તે મારા રાજ્યમાં કેઈ દુઃખી ન રહે. તેમ છતાં આ માણસ અને માર્યો ચેરી જેવું મહાપાપ કરવાની હદે આવે, તે તેમાં ખરે વાંક મારે જ કહેવાય.”
આમ કહી, તેણે તે ચોરને તથા બીજા પણ તેવા ગુનેગારોને તરત છેડી મૂકવાને હુકમ કર્યો, અને પછી પિતાના મોટા રાજભંડારનાં બારણું તરત લાવી નાખ્યાં. પિતાના રાજ્યમાં જેઓ ભૂખે મરતા હતા, તે સૌને તેણે ખાવાપીવાની વસ્તુઓ પહોંચાડી. જેઓ કપડાં વિનાના હતા, તેમને કપડાં પહોંચાડ્યાં. જેઓ રેગી હતા, તેમને ઔષધ પહોંચાડ્યાં. સૌ કેઈને જે વસ્તુની ઊણપ હતી, તે બધી તેણે પિતાના ભંડારમાંથી પૂરી કરી.
આમ થતાં જ રાજ્યના તમામ લોકો ખાધેપીધે સુખી તથા પિતપિતાને ધંધા-રોજગાર કરતા થયા. પરિણામે રાજ્યમાંથી દુરાચાર અને દુઃખનું નામનિશાન નીકળી ગયું. લાઠી, કેરડા, બેડીઓ વગેરે સાધને ઉપગ વિના નકામાં પડ્યાં, તથા કેદખાનામાં કઈ કેદી ન રહ્યો. રાજ્યમાં અસંતેષ, ભૂખમરે, છળકપટ, વગેરે છિદ્રો ન મળતાં પાસેના શત્રુ-રાજાઓએ પણ તે રાજ્યને જીતવાની આશા છોડી દીધી. પરિણામે લશ્કરનાં તરવાર, ભાલા, બરછીઓ વગેરે શત્રે પણ હથિયારખાનામાં જ કટાવા લાગ્યાં. અને લેકે વારે વારે કહેવા લાગ્યા કે, “ આવા રાજા વખતમાં આપણને જીવવા મળ્યું તે આપણું કેવું સદ્ભાગ્ય છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org