________________
સાચે બ્રાહાણ માણસ જેવું કર્મ કરે છે, તે તે થાય છે. માત્ર મૂંડાવાથી તે સાધુ બનતું નથી, મેથી 48 બેલ્યા કરવાથી બ્રાહ્મણ બનતું નથી, અરણ્યવાસથી મુનિ બનતે નથી, અને વલ્કલ પહેરવાથી તપસ્વી બનતું નથી. પણ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થાય છે. કર્મથી જ માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ થાય છે, જન્મથી નહીં. જેનામાં બ્રાહ્મણના ગુણ છે, તે જ બ્રાહ્મણ છે. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણે જ પિતાને કે બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ છે.
આ સાંભળી વિજયશેષનું અભિમાન તથા અજ્ઞાન દૂર થઈ ગયું. તેણે હાથ જોડીને જયઘોષને કહ્યું, “હે સાધુ! સાચું બ્રાહ્મણત્વ શું છે, તે તમે મને બરાબર સમજાવ્યું. તમે જ સાચા બ્રાહ્મણ છે, તથા વેદવિત્ છે. તમે જ બીજાને તેમ જ પિતાને ઉદ્ધાર કરવા સમર્થ છે. માટે હે ભિક્ષુકતમે મારા ઉપર કૃપા કરીને આ ભિક્ષા ગ્રહણ કરે.”
[જૈન કથા ઉપરથી ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org