________________
૨
પ્રાચીન શીલકથાઓ શકાય નહીં. જે માણસ વેદ ભણીને પણ તેનું તાત્પર્ય જાણતું નથી, તથા તે પ્રમાણે આચરણ રાખતા નથી, તે બ્રાહ્મણ નથી. આર્યપુરુષએ બ્રાહ્મણ કોને કહ્યો છે, તે જાણે છે ? | વિજયશેષે કહ્યું? ના! આયપુરુષે વળી બ્રાહ્મણ કેને કહે છે તે તું જાણુતે હેય તે મને કહી સંભળાવ!
વિષે કહ્યુંઃ મળેલી સંપત્તિમાં જે આસક્ત નથી થતું, અને ગયેલાને જે શક નથી કરતે, તે બ્રાહ્મણ કહેવાય છે.
જેની વાણી શુદ્ધ છે, સાચી છે, તથા મધુર છે, તથા જેનું હૃદય અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સેના જેવું નિર્મળ છે, તે સાચે બ્રાહ્મણ છે.
જે રાગ, દ્વેષ અને ભય વિનાને છે, તપસ્વી છે, સંયમી છે, સારાં વ્રત ધારણ કરનારે છે, તથા અંદર અને બહાર શાંત છે, તે બ્રાહ્મણ કહેવાય છે.
સર્વ જીવોને સુખ જ પ્રિય છે એમ જાણી, કઈ પણ જીવને જે દુઃખ આપતું નથી, કે પિતાના સુખ માટે તેમની હિંસા કરતું નથી, તે સાચે બ્રાહ્મણ છે.
બીજાની નાની-મોટી કઈ પણ વસ્તુ તેની પરવાનગી વગર જે ઉપાડી લેતો નથી, તે સાચો બ્રાહ્મણ છે.
જેને ધનમાં લોલુપતા નથી, જેને ભેમાં આસક્તિ નથી, જે દુનિની સોબત કરતા નથી, તથા હમેશાં સન્દુરુષની જ સેવા કરે છે, તે સાચે બ્રાહણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org