________________
૩૨
ઇષ્ટદેવનું ધ્યાન મનની ચંચળતાને દબાવવાને માટે, કેવી કેવી જાતના અભ્યાસ કરી શકાય, તેનું વર્ણન આપતાં સૂત્રો આપણે જોતા હતા. આ બધા અભ્યાસનું મુખ્ય પ્રયોજન સ્પષ્ટ સમજવું જોઈએ તે છે મનની એકાગ્રતા મેળવવાનું. અને તેનું ફળ પણ સ્પષ્ટ થવું જોઈએ – તે છે આગળ સૂત્ર ૩૦-૩૧માં વર્ણવેલા ચિત્તના અંતરાયો વગેરેને દુર કરવાનું ગસૂત્રને શબ્દ વાપરીને કહીએ તો, અંતરાયાભાવ (જુઓ સૂત્ર ૨૯) અથવા તો અંતરાયોને પ્રતિષેધ સાધવાનું (જુઓ સૂત્ર ૩૨ ).
આ અભ્યાસના વિવિધ પ્રકારના પ્રકરણનો સમારેપ કરતું છેવટનું સૂત્ર હવે આવે છે
યથાર્જમમતણના !રૂહ // - અથવા તે પિતાને ગમતા કેઈ પણ ભાવ કે વસ્તુ ચા પદાર્થના ધ્યાનમાંથી પણ મનની સ્થિતિને નિબંધન કરે – તેની સ્થિરતા મેળવી આપે એવું ફળ મેળવી શકાય છે.
આગળના પ્રકારમાં આપણે જોયું કે, તે તે પ્રકાર તેના અનુષંગી અમુક તમુક અંતરાયને વિશેષે લક્ષમાં લઈને, તેના પર સીધે હલ્લો કરી, તેને દૂર કરવાની દષ્ટિએ હોય છે.
૧૩૬
ઈષ્ટદેવનું ધ્યાન
૧૩ અંતરાય અને અભ્યાસ પ્રકાર વચ્ચે આવો સંબંધ આ સૂત્રમાં સૂચવેલા પ્રકાર અંગે પણ છે, જેને કેવળ ઉલ્લેખ આગળ કરી ગયો છું. “અલબ્ધભૂમિકત્વ ” અંતરાય. છે, તેને અનુલક્ષીને આ અભ્યાસ ખાસ છે, એમ કહી શકાય. અલબ્ધભૂમિકત્વ એટલે અભ્યાસ કરીએ છતાં તેમાં કાંઈક આશ્વાસન મળે એવી સફળતા ન લાગવાથી ચિત્તને જે અજંપો અને ઉચાટ જેવી અશ્રદ્ધા રહ્યા કરે તે. અભ્યાસમાં ઉત્સાહ અને ઉમંગથી આગળ ચાલવા માટે કાંઈક ભૂમિકા ન મળે, તેથી કરીને ચિત્ત પાછું પડયા કરે; આવી ચિત્તના પ્રતિઘાતની “ક્શ ન' ની દશા અથવા કહો કે ચિત્તપ્રસાદ ન રહેવો તે.
તે શું કરવું? સૂત્રકાર કહે છે કે, તમારા ચિત્તને જે ગમે તે ઈષ્ટનું ધ્યાન કરી ચિત્તને તેમાં વાળે. તેમાં અનન્ય અને એકાગ્ર બનશે તેય અંતરા ઉપર જય મળી શકશે અને મનને વશ કરવાનો માર્ગ મોકળો થશે.
આપણી રૂઢ પરિભાષામાં કહેવું હોય તો, આ અભ્યાસ ભક્તિમાન – ઇષ્ટદેવની આરાધના કરવા દ્વારા કામ લેવાનો છે. ઈશ્વરપ્રણિધાન પણ ચિત્તનિરોધને એક માર્ગ છે. એ ઈશ્વરપ્રણિધાન માર્ગના સંબંધને આ અભિમત કે ઈષ્ટના ધ્યાનનો અભ્યાસ છે. હિંદુ ધર્મની ઇષ્ટદેવની કલ્પના અહીં આવી જાય છે, એ ઉઘાડું છે. તેનું રહસ્ય એ નથી કે, તમે અમુક કે તમુક દેવ યા સત્વને પૂ. કઈ પણ અભિમત દેવ કે સત્ત્વ, જેને વિષે તમારી સહજ રુચિ કે ભક્તિ યા પ્રેમ હોય, તેને તમે લઈ શકે
For Pete & Personale Only