________________
૧૩૪
યોગ એટલે શું? વખતે હોય છે, તે શું છે એ ખાળવા મથવું. તે વખતે ચિત્તમાં બીજી કઈ વૃત્તિ ન હોવી, એ જ તે નિદ્રાવૃત્તિને અર્થ છે. આમ વૃત્તિ વગરનું ચિત્ત બની શકે છે, એ અનુભવ ભારે વિચિત્ર વસ્તુ છે. એવું ચિત્ત બને એક નિદ્રાકાળમાં, અને બીજું સમાધિકાળમાં કે જ્યારે વૃત્તિનિરોધ થાય છે. આથી કરીને, વૃત્તિનિરોધનો નકારાત્મક નમૂન, નિદ્રાનું ચિત્ત તપાસી જેવાથી, કલ્પનામાં આવી શકે છે. એ જ્ઞાન મનને મારવામાં ખપ લાગે છે.
અને નિદ્રામાં પડ્યા પછી બીજી વૃત્તિઓમાંથી સ્મૃતિવૃત્તિ એકલી કામ કરે, ત્યારે સ્વપ્નાવરથા થાય છે. આ વખતે ચિત્ત, સિનેમા જોઈએ એમ, સ્મૃતિમાંથી ઊઠતાં દશ્યો અને ભાવ જુએ છે. એ દશામાં આપણે આપણી સ્મૃતિમાં શું શું ભરાઈ રહ્યું છે, તે જાણી શકીએ છીએ. અભ્યાસ કરવાને માટે આ એક કીમતી તક ગણાય, કેમ કે બીજી રીતે કેવળ સ્મૃતિવૃત્તિને આપણે જોઈ શકી એ નહિ.
આ બંને વૃત્તિઓ વખતે આપણું દ્રષ્ટાપણું જરા , વધારે નિરાળું પાડવું હોય તો પાડી શકીએ છીએ. જાગ્રત દશાના અનુભવો વખતે તેની જોડે આપણું તાદાભ્ય વધારે જવલંત અને પાવરધું હોય છે. પણ સ્વપ્ન અને નિદ્રામાં આપણે આપણું નિરાળાપણું – જાગ્રત દશાની અપેક્ષાએ જોતાં – સરળતાપૂર્વક અનુભવી શકીએ છીએ. અને છેવટે યોગનું રહસ્ય પણ, દ્રષ્ટાનું આવું કૂટસ્થ – તટસ્થપણું જીવનમાં સભર ઉતારવું, એ છે.
નિદ્રાવૃત્તિ
૧૩૫ જાગ્રતમાં આપણે હોઈએ છીએ તે જ સ્વપ્ન અને નિદ્રામાં છીએ; કાંઈ ફરી નથી જતા. એટલે આ ત્રણેને ભેગો વિચાર કરીને આપણે આપણા જીવનના અનુભવને અને આપણાપણાનો ક્યાસ કાઢવો જોઈએ. તેમાં જાગ્રત દશાને માટેના અભ્યાસો આગળનાં સૂત્રોમાં કહ્યા. સ્વપ્ન અને નિદ્રાના અનુભવો પણ ખપના છે. એ કામ પણ અભ્યાસીને રુચે તે કરી શકે છે. કાંઈ નહિ તો સ્વપ્ન અને નિદ્રાના દાખલા પરથી જાગ્રતના અનુભવને તોલી જોતાં તેમાં રહેલું મિથ્યાત્વ તો સમજમાં આવી જ શકે. આ સમજાવવાને માટે પુરાણો વગેરેમાં નિદ્રાવસ્થામાં જન્મોજન્મના અનુભવ ભરેલી આખ્યાચિકાઓ આપવામાં આવે છે. આ દાખલા, આ સૂત્રમાં જે અભ્યાસ કહ્યો છે, તેનું રહસ્ય બતાવનારા છે.
સ્વપ્ન અને નિદ્રાના અનુભવો પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓએ આ રીતે ઝાઝા વિચાર્યા નથી. પણ પૂર્ણ જ્ઞાન માટે તે આવશ્યક છે. ત્રણે અવસ્થામાં થતા જ્ઞાન દ્વારા સાચું જ્ઞાન પ્રગટ થવું જોઈએ, એ વાત પૂર્વનાં દશને સ્વીકારીને ચાલ્યાં છે; બલકે જ્ઞાનદશાને તે પરથી ચેથી - તુરીય દશા પણ કહેવામાં આવી છે. મનને અભ્યાસ ત્રણે દશામાં કરીએ, તે તેથી પર એવી જ્ઞાનદશાની કલ્પના આવે, એ અનુભવને ૩૮માં સૂત્રમાં સંઘરેલો છે.
Jain Education International
For Private & Personal use only