SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શુ? ૧. ચિત્ત પ્રસન્ન રહે એવી મનની ભાવનાએ કેળવવી જોઈ એ. ચિત્તની ભાવનાઓની આવી કેળવણી અને તેની જરૂર સૂત્ર ૩૩માં કહી. ૧૮ ૨. અથવા પ્રાણાયામ દ્વારા શારીરિક અને માસિક સ્વાસ્થ્ય કેળવવું (સૂત્ર ૩૪), તેા ચિત્તપ્રસાદ થવા લાગે. ૩. અથવા ઇંદ્રિયાના અનેક ખાદ્ય વિષયેાના જ્ઞાન માટે એકાગ્ર પ્રયત્ન કરવાથી પણ લાભ છે (સૂત્ર ૩૫). જ્ઞાનેંદ્રિયના વિષયેાની પ્રવૃતિ પણ અભ્યાસમાં મદદ કરે એવી રીતે કરી શકાય છે. તે વડે પણ મનને બાંધી શકાય. ૪. બુદ્ધિશક્તિને ખૂબ કેળવવા દ્વારા પણ લાભ છે (સૂત્ર ૩૬). તેવી પ્રવૃત્તિથી પણ મનને બાંધી શકાય. પ. જીવનદૃષ્ટિ કે પ્રજ્ઞા એવી ખીલે કે જેથી વૈરાગ્યનુ રહસ્ય સમજાય અને જીવનમાં ઊતરે; તે તેથીય લાભ થાય છે. આ સમજ કેળવવી એ પણ લાભદાયી અભ્યાસ છે (સૂત્ર ૩૭). ૬. સ્વપ્ન અને નિદ્રા અવસ્થા એ ચિત્તની અસાધારણ દશા છે. આ અસાધારણ દશાનું રહસ્ય પામવાથી ચિત્તશક્તિ ખરેખર શી વસ્તુ છે, તેનાથી થતા જ્ઞાન વિષે સાચુ શું માનવું, ઇની સમજ પડી શકે છે. આ સમજ મેળવવાથી પણ લાભ થાય છે. એ અઘરા અભ્યાસ છે, છતાં તે ખપના છે અને સૂક્ષ્મ ચિત્તની સાધનામાં તે કામ આવે છે (સૂત્ર ૩૮). ૭. અથવા પેાતાને મનગમતી – પસંદ પડેલી કાઈ વસ્તુ કે કલ્પના ઉપર ધ્યાન રાખવાથી પણ મનની Jain Education International પ્રાણાયામ ૧૧૯ સ્થિરતા કે ચિત્તના પ્રસાદ સાધવા ખમતમાં ફાયદા થાય છે. જેમ કે ઇષ્ટદેવની આરાધના (સૂત્ર ૩૯). આમ ચિત્તની તક, બુદ્ધિ, કલ્પનાશક્તિ, ભાવના, અને અહ તા – બધી શક્તિએમાંથી કેાઈ મારફત અભ્યાસ કરી શકાય. તે અભ્યાસ જેવી તીવ્રતા કે ઉગ્રતાવાળા હાય તેવું ફળ મળશે. આ પ્રકારે વિષે વધારે વિચાર હવે પછી કરીશું. ૧૮-૧૦-'૪૯ ૨૭ પ્રાણાયામ ૩૨મા સૂત્રથી તે ૩મા સૂત્ર સુધીમાં યોગ-સૂત્રકારે અભ્યાસના જીંદા જુદા પ્રકારા કહ્યા છે. એ પ્રકારા જીવનનાં અધાં પાસાંને સ્પર્શે એવા વ્યાપક અને સર્વગ્રાહી છે. તેમાં આપણી બધી શક્તિઓને માટેની કવાયત અને તાલીમને! ક્રમ સૂચવ્યા છે, જેથી મનની એકાગ્રતા થવામાં અચૂક આવતા અંતરાયેાનું નિવારણ થાય. ૩૩મા સૂત્રમાં ચિત્તની ભાવનાની કેળવણીને અભ્યાસ કહ્યા. આ એકલે! અભ્યાસ પણ એવા પ્રખળ છે કે, તે દ્વારા ચિત્તને શાંતિ મળે. પણ એમ એકલ અલગ તે જીવનમાં કશું જ નથી; જેમ શરીરનાં અંગેઅંગ આતપ્રાત રહેલાં છે, તેમ જ આપણી કેળવણીનું પણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy