SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ યોગ એટલે શું? સૂત્ર ૨૯માં આપણે જોયું કે, સાધનાના ક્ષેત્રમાં સત્તા -સમાત્ર’ એવો એક પદાર્થ ત્યાં કહ્યું. તે હવે સમાવવો જોઈએ. એટલે પ્રથમ અંતરાય કયા છે તે ગણાવ્યા. “આ નવ અંતરાયો છે, તે ચિત્તને વિક્ષેપ નાંખે છે. તેઓ ચિત્તની પાંચ જે વૃત્તિઓ કહી તેમની સાથે પેિદા થનારા પદાર્થ છે. તેમનો જે અભાવ થાય – તે પદાર્થોને જે હઠાવવામાં આવે, તો પૂર્વે કહેલી ચિત્તવૃત્તિઓ પેદા ન થાય.” (યોગભાણ.) એમ થાય એટલે પછી નિરોધને માર્ગ અંતરાય વગરને સાફ સીધો થાય. આમ અંતરાયો નવ છે. તે સમજીને તેમને દૂર કરવાના છે. એ નવનું સ્વરૂપ હવે તપાસીએ. અંતરાયોમાં પહેલા બે મુખ્યત્વે શારીરિક છે – ૧. સાધિ – રોગ. શરીરમાં રોગ હોય તો તેની અસર ઇદ્રિય તથા તેમના રાજા મન ઉપર પડે જ. તેથી તેઓ સરળપણે કામ ન કરી શકે. પરિણામે ચિત્તને કલેશ થયા જ કરે અને રોગમાં અંતરાય આવ્યા કરે, એ ઉઘાડું છે. સાધારણ કામોમાં પણ વ્યાધિ જે પીડા ને વિશ્નો નાંખે છે, તો સૂમ અને કઠણ એવા યોગકામમાં તે પછી પૂછવું જ શું? તેથી રોગથી દૂર રહેવાને આરોગ્યનો જીવનવિધિ તો હોવો જોઈએ. ૨. સ્થાન બીજો અંતરાય છે. ત્યાન એટલે જડતા; મન – ઇંદ્રિયનું ભારેપણું. ભાષ્યકાર ટૂંકમાં અર્થ આપે છે – અલાર્મષ્ણુતા વિસ્તક્ષ્ય – ચિત્ત એવું ભારે થઈ જાય અંતરાયો અને તેમનું સ્વરૂપ ૧૦૬ કે કશું કરવામાં ઉત્સાહ જ ન જાગે. કહો કે, એક પ્રકારની શરીર-મનની તામસિક જડતા, ઉત્સાહને અભાવ. પ્રમાદ” અને “આલસ્ય” બે જુદાં ગણાવ્યાં છે. એટલે સ્થાનનો અર્થ આથી ખાસ સમજવો જોઈએ. સ્થાન મુખ્યત્વે શરીરના ભારેપણામાંથી ઉત્પન્ન થતી દશા છે. ભારે મેદવાળું શરીર, કે જેમાંથી જડતા આવે તે. હવે પછીનાં નીચેનાં ચાર અંતરાયકારણે વિશેષ કરીને સૂફમ કે માનસિક છે – ૩. સંશય – કાંઈ પણ કરવા જતાં મનનો નિશ્ચય ન થાય – આ કરવું કે તે કરવું, કરવું કે ન કરવું, એ રીતને. આવું જે મનનું ઢચુપચુપણું કે ડગમગાટ તે સંશય. આ તો કેવી મોટી બ્રેક ગણાય, એ સમજાવવાની જરૂર નથી. ૪. પ્રમાદ્ર – સંશય ન હોય, નિશ્ચય થાય કે અમુક તમુક કરવા જેવું છે, પરંતુ તે કરવાને માટે મનની તીવ્ર લાગણી ન હોય, તે ઊલટભેર તેમાં લાગી ન શકાય. આ પ્રકારની મનની અરુચિ હોય તે ગસાધનમાં તે શું, કોઈ પણ ધારેલા કામમાં વાંધો પડે. તેથી તે પણ એક અંતરાય જ થઈ પડે. ૫. – ઉપરના અંતરાયો હોય તે પછી સહેજે માણસને કર્તવ્યમાં આળસ તો આવે જ. સમજની સ્પષ્ટતાને ખાતર તે અલગ ગયું છે એમ માનવું જોઈએ. શારીરિક સ્થાન અને માનસિક પ્રમાદ, એ બેને લઈને આળસ થાય. “આળસ એટલે ચિત્તનું તથા શરીરનું Jain Education International For Private & Personal use only www. library.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy