SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વેગ એટલે શું? આમ સંપ્રજ્ઞાન થવામાં પાંચ પ્રકાર સંભવી શકે છે – છઠ્ઠો નહિ. તેથી મેંગસૂત્રકાર કહે છે કે, વૃત્તિ પંચવિધ છે. અને તે નિરોધની દૃષ્ટિએ વિચાર કરીને કહેવામાં આવે છે. નિરોધમાં સંપ્રજ્ઞાન નથી; તે સિવાયની બાકીની બધી ચિત્તદશાઓમાં જે જે સંપ્રજ્ઞાન માનવચિત્તને થાય છે, તેના કુલ પ્રકાર પાંચ સંભવે છે; અને તેથી વૃત્તિ તેટલા જ પ્રકારની છે, એમ યોગ કહી શકે છે. એ પાંચ પ્રકારનાં નામ ઉપર આપણે જોયાં. તે પાંચ પ્રકારમાં સમગ્ર સંપ્રજ્ઞાન કે વૃત્તિકાય કેવી રીતે આવી જાય છે, તેમને અર્થશે, વગેરે બાબત પછીના પ્રકરણમાં. ૧૦–૭–૪૫ સંપ્રજ્ઞાનના પાંચ પ્રકાર એટલે, જેમ વૈજ્ઞાનિક માને છે કે, તેના પ્રયોગો ને ધોને માટેનું મૂળ સાધન જે ભૌતિક પદાર્થ, તે છે જ; તેમ એગ માને છે કે, દૃશ્ય જગત છે ને તેના સંગમાં આવતાં, ઇંદ્રિય વાટે, ચિત્ત-સરોવરમાં વૃત્તિઓ ઊઠે છે. તે વૃત્તિઓને જીવાત્મા કે પુરુષ જુએ છે, તેથી તે – કે મોસંત કહેવાય છે. ૧, પ્રમાણ આમ દશ્ય જગતમાં થતું ચિત્તનું સંપ્રજ્ઞાન કેવું કેવું હોઈ શકે? એક તે તે યથાતથ – બરોબર ખરું હોય. એટલે કે, ઇંદ્રિયો ને સૂધબૂધવાળા માણસને દેખાય તેવું યથાર્થ હોય – ખોટુ કે ભ્રમિત નહિ. આવા સંપ્રજ્ઞાનની વૃત્તિ પ્રમાણ કહેવાય છે. યોગકાર કહે છે કે, એવાં પ્રમાણ ત્રણ છે– - પ્રત્યક્ષ - અનુમાન -TTIT: પ્રમાનિ || ૭ | -પ્રત્યક્ષ, અનુમાન, અને આગમ એમ ત્રણ રીતે પ્રમાણવૃત્તિ સંભવે છે. એક તો આપણે પિતે આપણી ઇદ્રિય વડે અનુભવીએ અને જાણીએ, એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. ખરું જોતાં આ જ મૂળ પ્રમાણ છે એના જ મૂળ આધાર ઉપર પ્રમાણુના બાકીના બે રસ્તા ઊભા છે. તેમને એક અનુમાન છે. અમુક એકસરખા અનુભવ થાય તો તે પરથી ચોકસ નિર્ણય તારવીને આપણે અનુમાન પર પહોંચીએ છીએ; એ રીતે પણ ચેકસ સંપ્રજ્ઞાન થઈ શકે. જેમ કે, ધુમાડો નીકળતો જોઈ આપણે માનીએ કે ત્યાં અગ્નિ હશે. આ અનુમાન ભૂલભરેલું હોય તો તે સંપ્રજ્ઞાનના પાંચ પ્રકાર પાંચ વૃત્તિઓમાં ચિત્તનું આખું સંપ્રજ્ઞાનોત્ર આવી જાય છે, એ શી રીતે ? બાહ્ય સૃષ્ટિ છે, એ તો ઉઘાડું છે; યોગશાસ્ત્ર તે માને છે. વેદાંત પેઠે તે એમ નથી માનતું કે, તે મિથ્યા છે. અગાઉ આપણે જોયું કે, ગ તો સાધનાનું શાસ્ત્ર છે; અને સાધના કરવાની છે આ દુઃખી કે બંધનકર્તા યા ભેગપાત્ર કે મજેદાર લાગતાદૃશ્ય જગતમાં. * શ્યના બે ઉદ્દેશ વેગ બતાવે છે – ભાગ અને અપવગ એટલે કે મુક્તિ.” પ્રારા-નિયા-ચિંતિનું મૂટ્રિયામધું જોવાનું થાય દૃરયમ્ | (પા ૨, સુર ૧૮) Jain Education International For Private & Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy