SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગ એટલે શુ’? ૩૬ ખાટુ હાય; પણ જે ખરેખર ન્યાયપૂર્વક તે કરાય તે તે રીતે સાચી વાત પામી શકાય. માટે તે પ્રમાણ ગણાય છે. અને કોઈ યાગ્ય લાગતા માણસે ઉપરની બેમાંથી કઈ રીતે મેળવેલું જ્ઞાન તે બીજાને કહે, તેય તે આધારભૂત અની શકે છે. આ રીતે કોઈ યાગ્ય કે આમ જનનું કથન પણ ચેાકસ જ્ઞાનને રસ્તા છે. એમ અને કે, એકને માટે તે પ્રમાણુ હાય ને બીજાને માટે ન પણ હાય; કારણ કે તેમાં શ્રદ્ધાની — જેતે માણસ પ્રત્યે આક્ષતાના વિશ્વાસની જરૂર રહે છે. જેમ કે, ધર્મગ્રંથેનાં વાકય પર કે ગુરુ માનેલાના બેધ ઉપર આધાર. જોકે, અહીં પણ એક વસ્તુ યાદ રાખવી જોઈ એ કે, આવા આગમને માનીએ છીએ એને અથ એ છે કે, તેને જેવા અર્થ આપણને સમજાય કે ગળે ઊતરે તે જ પ્રમાણ બને છે. શાસ્ત્રવાકચ સાચું ન પણ સમજાય; ગુરુવાકચ આપણે આપણી રીતે જ સમજીએ. આ બધામાં વિવેકને ચિત્તવ્યાપાર રહેલા જ છે. તેથી ખરું જોતાં મૂળ પ્રમાણ તે જાત- અનુભવનું પ્રત્યક્ષ પ્રમાણ જ છે; અનુમાન અને આગમ તેને સ્થાને ને આધારે આપણને મદદરૂપ બને છે. પ્રમાણવૃત્તિનું પ્રમાણુત્વ તેની યથાતથતામાં રહેલું છે, એ મુખ્ય વાત ધ્યાનમાં રાખવી જોઈ એ. તે કારણે તે એક પ્રકારની નેાખી વૃત્તિ અને છે. અથવા તે થાય — કાઈ ને Jain Education International ૨. વિષય ચિત્તનું સંપ્રજ્ઞાન ખાટું કે ઊંધું જ કાઈ ઇંદ્રિયદેષ કે વિકારને લઈને. સપ્રજ્ઞાનના પાંચ પ્રકાર ३७ એટલે કે, તે જ્ઞાન વાસ્તવિક — વસ્તુ જેવી હાય તેવું નહિ, પણ તેથી વિપરીત કે મિથ્યા યા ભ્રમિત થાય. પણ જેને તેવું જ્ઞાન થાય, તેને તે તે ખરું જ લાગે — તેને તે આધક કે સાધક બનવાનું જ. તેથી તે એક વૃત્તિ તે થયું જ. પણ તે પ્રમાળ નથી. જેમ કે, કમળાવાળાને અધુ પીળુ લાગે; અંધારામાં કૃણકુ જોતાં તે ભૂત કે હાઉ યા ચાર છે એમ જણાય; દેારડી કે ટાયર જેવું પડેલું જોઈ તે સાપ દેખાય. આ વૃત્તિને પ્રમાથી ઊલટી એવી વિપર્યય વૃત્તિ કહે છે " विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् || 5 || (વિપર્યય એ મિથ્યાજ્ઞાન છે; કેમ કે તેની પ્રતિષ્ઠા વસ્તુના રૂપમાં હોતી નથી.) પ્રમાણ અને વિષય ય એ એ સ’પ્રજ્ઞાનમાં કાઈ ને કાઈ વસ્તુને આધાર હોય છે — બેઉ સંપ્રજ્ઞાન વસ્તુજન્ય છે, અધ્ધર થતાં નથી. ફેર એટલે કે, એકમાં ખરેખર વસ્તુસ્થિતતા છે; બીજામાં વસ્તુ પરથી ઊડતા ભ્રમ હેાવાથી તે વસ્તુમાં સ’પ્રજ્ઞાનની પ્રતિષ્ઠા નથી, એટલે તે મિથ્યા જ્ઞાન અને છે. ૭. વિકલ્પ પરંતુ કેટલીય વાર, મૂળમાં કઈ વસ્તુ ન હેાવા છતાં, માત્ર શબ્દ પરથી ખ્યાલ જાય છે, ને તેને આધારે સંપ્રજ્ઞાન કે વૃત્તિ નીપજે છે. ભાષા દ્વારા મનુષ્ય એક નવી શબ્દષ્ટિ જ ઉત્પન્ન કરી શકે છે. તેથી તેા એક અલગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy