SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલેશું? ૧ યાગ કહે છે કે, તેમાં પણ ચિત્તની પ્રકૃતિને જ એક સિદ્ધાંત પાયામાં રહેલા છે; સૂત્ર ૩, ૪ આ સિદ્ધાંત બતાવે છે. તે સૂત્રા આ છેઃ • तदा द्रष्टुः स्वरूपे अवस्थानम् || ३ || वृत्तिसारूप्यम् इतरत्र ॥ ४ ॥ એનું કારણ એ છે કે, જ્યારે વૃત્તિ-માત્રને નિરાધ થાય છે, તે વખતે આપણામાં રહેલે દ્રષ્ટા કે ચેતન અ’શ અથવા, સાદી સાષામાં કહીએ તે, જીવાત્મા પેાતાનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે, તેમાં સ્થિતિ પામેલા હેાય છે. આકી બીજે બધે પ્રસ ંગે, ઉઘાડુ' છે કે કોઈ ને કાઈ વૃત્તિ ઊંચા જ કરતી હાય છે; તે વખતે જીવાત્મા તે તે વૃત્તિના સ્વરૂપને પામેલા હોય છે, તેમાં તદાકાર હોય છે. ચિત્ત-પ્રક્રિયાના આ બીજો કાયદા છે. ચિત્તની કામ કરવાની રીત જ એવી છે કે, જે વૃત્તિ તેમાં ઊઠે તે જ રૂપના, તે ક્ષણે તેા, આપણે બની રહીએ; તેવી તદ્રુપતાને લઈને જ આપણને તે તેવૃત્તિના વિષયનું ચેાક્કસ ભાન થઈ શકે છે. અને તેથી જ એક ક્ષણે બે વૃત્તિએ એકીસાથે ઊડી શકતી નથી, પણ કાળમાં તેમને ક્રમ કે પ્રવાહ જ બને છે. Jain Education International શરૂમાં જ આપણે જોયું હતું કે, ચિત્ત એ ચેતનાનું સાધન છે. વૃત્તિ વડે તે કામ કરે છે એ ખરું, પરંતુ વૃત્તિને જોનાર સમજનાર ચેતન પદાર્થ ચિત્ત નથી; તે નિરાધનું પ્રયાજન આપણે જીવાત્મા છીએ. ઉપર સૂત્રમાં એને જ ‘દ્રષ્ટા કહ્યો છે. તે માત્ર જોનાર છે; જોવાનું દૃશ્ય પેાતાની વૃત્તિપરપરા દ્વારા ચિત્ત પૂરું પાડે છે. તે કામ ચિત્તનું છે; દ્રષ્ટાને તેમાં લેવાદેવા નથી. તેથી જ દ્રષ્ટાને ક્રૂટસ્થ, તટસ્થ, નિલેપ, નિરાકાર ઇ॰ વિશેષણા અપાય છે. અને તેને એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે કલ્પવાની જરૂર એ છે કે, ચિત્ત પાતે ચેતન-વ્યાપાર કરી શકતું નથી; તે વ્યાપાર કરી શકનાર જે ચિશક્તિ તે અલગ છે; તે શક્તિના દેહમાં રહેલા એજન્ટને દ્રષ્ટા કે દેહી કહ્યો છે. ચિત્ત જે દેખાડે તે એ જીએ. આ પ્રકરણમાં આપણે એ સમજવું છે કે, એ જોવાની પ્રક્રિયાને કાયદે। એ છે કે, દૃશ્ય વૃત્તિ જે એક અમુક ક્ષણે દ્રષ્ટા સામે આવે છે, તે ક્ષણે દ્રષ્ટા તે-રૂપ બને છે; કાંઈ ન આવે, ( એટલે કે વૃત્તિનેા નિધ હાય,) તે તે જેવા છે તેવા શુદ્ધ રૂપે વિલસે. ફ્રૂટસ્થ વસ્તુ આથી બીજી રીતે વતી પણ ન શકે. ઉપમાથી સમજવા પેલા સિનેમાને દૃષ્ટાંત જ લઈ એ. પ્રકાશ-ઢીયેા કેવળ દ્રષ્ટા છે; તેને ફાટાની વૃત્તિ - પરંપરા અતાવાય છે. દીવા તદ્રુપ બનીને પડદા ઉપર પ્રગટ થાય છે. ફિલ્મની ચાલતી પટી દૂર કરો, તેા કેવળ પ્રકાશ જ રહેશે. એમ દીપ-પ્રકાશરૂપ દ્રષ્ટા અને ફિલ્મરૂપ વૃત્તિપ્રવાહનું છે. આ ઉપમા સમજવા પૂરતી જ છે. તેને પૂર્ણપિમા સમજીને ગૂંચવાવું ન જોઈએ, કે સમજવાની વસ્તુને તેથી ગૂંચવવી નહિ, એ સંભાળવાની જરૂર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy