SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આઈ શકે છે. અલ-કાય કેમ કે, ત્યારે ગ એટલે શું? એટલું જ સાચું છે. શરીરનાં એ બેઉ અવય – ઇદ્રિ અને જ્ઞાનતંતુતંત્ર- સાબૂત હોય ત્યાર પછી જ આપણે ચેતન-કામ કરી શકીએ. સામાન્યપણે આપણને એમ લાગે છે કે, જોયું કે તરત જાણ્યું, સૂયું કે તરત ગંધની ખબર પડી. પણ એ એકસાથે ને તરતરત થતી લાગતી પૂરી પ્રક્રિયામાં કમ છે, પગથિયાં છે. રેગ-દશામાં આ ક્રમ તરત’ દેખાઈ શકે છે. એ પ્રક્રિયા ઉપર કાબૂ મેળવનાર ગી પણ એ કમ જોઈ શકે છે. અસ્તુ. આમ, કોઈ પણ ઇદ્રિય-કાર્યનું પૂરું કે ખરું ભાન બાહ્ય કરણે અને અંતઃકરણ બેઉ મળીને કામ કરે, ત્યારે આપણને થઈ રહે છે. આમ જે આખો ચેતનાનો વ્યાપાર કે ક્રિયા થઈ, તે કરનારું એક સમગ્ર જે માનવ અંગ, તેને ચિત્ત કહી શકાય. બુદ્ધિ-શક્તિનું જ બીજું નામ એ છે, એમ કહો તેય ખોટું નથી. બુદ્ધિ એટલે જે વડે આપણને બેધનભાન કે જ્ઞાન થાય છે, તે આપણી શક્તિ કે તે આપણું અંતઃકરણ. ચિત્તની આ સામાન્ય સમજ થઈ. તેનું વિશેષ પંચીકરણ કરવા બેસવાની જરૂર નથી. ચિત્ત એ આપણી ચેતનાને, આપણે જીવીએ છીએ એનો અનુભવ કરાવનારું આપણું અંગ કે શક્તિ છે. તેનું કામ આપણને જ્ઞાન કે બોધન કરાવવાનું છે. અર્થાત્ જે સાધન વડે આપણે આપણે ચિત્ કે ચેતનાને વ્યાપાર કરી શકીએ છીએ, તે સાધન એ ચિત્ત. ચિત્તનું સ્વરૂપ તેની હયાતી કઈ રીતે આપણને જણાય છે? પવન જેમ વાવાથી, અગ્નિ જેમ દાહથી, સૂર્ય જેમ તેજથી, તેમ આ ચિત્ત-વસ્તુની હયાતી જે દ્વારા જણાય છે તે તેની “વૃત્તિ” છે. ચિત્ત પિતાનું કામ જે રીતે કે જે દ્વારા કરે છે તેને વૃત્તિ કહે છે. સફેવરમાં જેમ લહરીઓ ઊઠે તેમ ચિત્તમાં વૃત્તિઓ ઊડવા કરે છે. ચિત્તને એ ધર્મ જ છે એમ માનો. વૃત્તિ મોડીવહેલી ઊઠે, રહી રહીને ઊઠે કે ઉપરાઉપરી ઊઠે, જરાતરા ઊઠે કે ઉછાળા મારતી ઊઠે, ઊઠવાની કદાચ ખબર પડે કે નયે પડે- પણ તે સતત ઊઠે છે. જેમ પાણીની સપાટી પ્રસન્ન અને સ્થિર દેખાય, છતાં તેમાં અમુક સૂમ માજાં છે જ; વસ્તુ ગમે તેવી સુંવાળી. દેખાય, છતાં સૂક્મદશકથી જુએ તો તેમાં સૂક્રમ ખાડાબિયા જણાય જ; તે જ પ્રમાણે ચિત્તને માટે છે. તેને નિર્વાહ તેની અંદર ઊડતી “વૃત્તિ' દ્વારા ચાલે છે. આપણી ચેતનક્રિયા વૃત્તિનાં આવાં ઉઠાણ વડે જ ચાલે છે. વૃત્તિ એ ચિત્તથી જુદા કલ્પી ન શકાય એ તેને ધર્મ છે. વૃત્તિના એ સતત ઉઠાણમાં અમુક પ્રકારે અને ઉદેશથી નિયમનનું કે નિષેધ યા રોકવાનું તત્ત્વ આણવું એને “ગ” કહે છે. એટલે, જે કાંઈ યોગ કહેવાય તેની કસોટી એ થઈ કે, તે ચિત્તને રોકવામાં કે કાબૂમાં લેવામાં મદદ કરે છે. એ રીતે કાંઈક પણ રોકવાનું કામ કરે તે તે “ગ” છે. તેમાં ઓછાવત્તાપણું હોઈ શકે; પણ કાંઈ જ તે ન હોય એ ન ચાલે. Inin Education Internation For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy