________________
વેગ એટલે શું? છે. પરંતુ તે બધી મથામણને અંતે તેમાંથી એક અબાધિત અને આખરી નિચોડ કાઢવ્યો છે તે એ છે કે, જીવની ખરેખરી ને આંતર અભિલાષાનું સ્વરૂપ મોક્ષ છે. જે ઝીણવટથી અને ઊંડાણમાં જઈને હિંદુ ધર્મ આ બાબત છણી છે અને તેની શાસ્ત્રીય મીમાંસા કરી છે, તેવી ભાગ્યે જ બીજા ધર્મોમાં મળે છે. સ્વગ, ઈશ્વરનું રાજ્ય, એવા દ્વૈતવાદી શબ્દ બીજા ધર્મોમાં યોજાયા છે. પરંતુ એનું વસ્તુ શું છે તેનું સૂક્ષ્મ નિદાન હિંદુ ધર્મ આપ્યું છે. અને તેની બધી જ શાખા-ઉપશાખાઓ, તેઓ વેદપ્રામાયમાં માને કે ન માને તોય, મેક્ષને જ જીવનપ્રાપ્ય તરીકે સ્વીકારે છે. શીખ શું કે કબીરપંથી શું, જૈન શું કે બૌદ્ધ શું, તાંત્રિક શું કે શાક્ત શું, સૌ પ્રકૃતિમોક્ષ, જ્ઞાન, મોક્ષ, નિર્વાણ, કૈવલ્ય, કેવલજ્ઞાન વગેરે વાચકેવાળા એક પદાર્થને ધ્યેય માને છે. એટલે, મારી દષ્ટિએ, હિંદુધર્મની એક સચોટ વ્યાખ્યા આપવી હોય તે,
મેક્ષ જેનું પ્રાપ્ય છે તે કહી શકાય. ટિળક મહારાજે હિંદુ ધર્મની વ્યાખ્યા આપતાં, સામાન્યતઃ સમજાતી “પ્રામથવુદ્ધિ વૈષુ' (વેદોમાં પ્રામાણ્ય-બુદ્ધિ) - એ લક્ષણ આપ્યું છે. અને આગળ કહ્યું છે, “સાધનાના-નેતા ” (સાધના અનેક જેમાં હોઈ શકે છે) તથા પાયાનામનિયમ: (જેમાં ઉપાસ્ય – ઈષ્ટદેવ ગમે તે હોઈ શકે છે – તે વિષે કેઈ અમુક જ નિયમ કે બંધન તેમાં નથી). આ ત્રિવિધ વ્યાખ્યાનાં છેલ્લાં બે અંગ સાથે, તેમની ઉદારતામાં બરોબર બંધબેસે એવું લક્ષણ જે કહેવું હોય
હિંદુ ધર્મ તે, “વેદમાં પ્રામાણ્યબુદ્ધિ'ના રહસ્યરૂપ એવું “મોક્ષમાં ધ્યેયબુદ્ધિ” એવું લક્ષણ મૂકવું જોઈએ. તે હિંદુ ધર્મની વ્યાખ્યા ટૂંકમાં –
मोक्षमां ध्येयबुद्धि ने साधनानी अनेकता,
उपास्ये कायदो को ना, धर्मन ए ज लक्षण. – એ પ્રમાણે થાય.
અને મેક્ષ જેમ માનવ જીવનને આદર્શ છે, તેમ યોગ એ તે આદર્શને પામવાનાં સાધનમાત્રનું રહસ્ય છે. હિંદુ માનસ તેની તાત્ત્વિક ઝીણવટ માટે જગતભરમાં નામીચું છે. તેણે અનેક સાધના અને ઉપાસ્યો (એટલે કે, દેવદેવી આદિ) સ્વીકાર્યા તો છે. પરંતુ તેની શાસ્ત્રીય દષ્ટિ તે બધામાં પણ એકતા જોયા-ખોળ્યા વગર રહી નથી. આ બધી સાધનાઓ ગમે તે ઇષ્ટદેવને માનીને ચાલે, ગમે તેવા ક્રિયાકાંડો યોજે, છતાં તે બધાની શક્તિ શાથી છે? અનેકત્વમાં એકત્વ જેનારી આય દષ્ટિએ આ પ્રશ્ન પણ વિચાર્યો છે, અને તેનો જવાબ એ આપ્યો છે કે, સાધનામાત્રની શક્તિ “ગ” છે. જેટલે અંશે કોઈ પણ સાધના-પ્રકાર યોગના રહસ્યને પિષે છે, પ્રગટ કરે છે, તેટલે જ અંશે તે સાધનામાં સાધનશક્તિ છે,–તે જ તેને “સાધના” એવું નામ આપી શકાય. અથવા, એમ જ કહો કે, યોગ એટલે કે ઈ પણ સાધનાની અંદર રહેલી તેની સાચી સાધનશક્તિ. અને ખરું જોતાં વેગનો વ્યાપકમાં વ્યાપક અર્થ પણ એ જ છેઃ કોઈ પણ સિદ્ધિ,– પછી તે
Jain Education International
For Private & Personale Only
www.elry en