SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ૬૨ અબોદ્ધ વાદોને ઉલ્લેખ કરે છે.૧ ઉપનિષદોમાં પિતામાં જ ખાસ કરીને કાલ, સ્વભાવ, નિયતિ યુદછા, કે ભૂતોને પરમ તત્વ માનનારા (વે. ૨. ૨; ૬. ૧. ૪૦) કે અસ્વગૃલાકે, કાપાલિકે, વૃથાતકવાદીઓ, (નૈરામેવાળા) બહસ્પતિના અનુયાયીઓ (મૈત્રા૦ ૬. ૧૪ ઇ ; ૬. ૨૦; ૭. ૮ ઇ.) કે પ્રાણુ, ગુણે, દિશાઓ, મન, બુદ્ધિ, વગેરેને પરમતત્ત્વ માનનારાઓને (માંડૂક્ય કારિકા ૬. ૭-૯; ૨. ૨૯-૨૮) ઉલ્લેખ છે. ' મહાભારતકાળમાં (પર્વ ૨૨. ૩૫૦. ૬૪ ઇ6) ચાર “જ્ઞાન” પ્રચારમાં હોવાનું જણાય છે: ૧. સાંખ્યયોગ, ૨. પાંચરાત્ર ૩. વેદારણ્યક (વેદ) અને ૪. પાશુપત. તેમાંનું પ્રથમ “સાયો’ એવા ભેગા ૧. અલબત્ત, એ ગણનાઓ ખરેખર જે વાદે અસ્તિત્વમાં હોય એમને આધારે કરવાને બદલે જીવ, બંધ, મેક્ષ વગેરે વિમાન્ય તત્ત્વોને અને કાલ, ઈશ્વર, આમાં, નિયતિ વગેરેના નિમિત્તપણાને ઇ-કારવા કે માનવાની દષ્ટિએ કેટલા વાદો ગણતરીથી સંભવે એ ગણી કાઢીને પણ કરી હોય. છતાં, એ સમયે આચાર અને વિચારની જે પ્રચલિત માન્યતાઓને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે તે જોતાં, આવા આવા અનેક વાદે તે વખતે પ્રચલિત ન હોય એમ કહી શકાતું નથી. ૨. શરીર જ આત્મા છે એમ માનનારા (છાંદ૦ ૮, ૮. ૪); આ લોક તેમ જ પરલોક નથી એમ માનનારા (કઠ૦ ૨. ૬); સંશયોમાં નારિતક લેકે (ગીતા. ૪. ૪૦; ૨૬, ૭૨૩); બુદ્ધિવાદી, તર્કવિચારમાં અનુરત, આમાં તથા મોક્ષને ઇનકારનારા, નાસ્તિક, વસ્તુમાત્ર બાબત શંકા ઉઠાવતા, સભાઓમાં દલીલબાજી ચલાવતા, અને આખી પૃથ્વી ઉપર વિચરતા (મહા. ૨૨. ૧૯, ૨૩). ૩, ૫છીના સમયમાં ષટદશન તરીકે જાણીતાં થયેલાં દશને મહાભારતકાળ સુધીમાં પ્રચલિત કે વ્યથિત થયાં હોય તેમ લાગતું નથી. સિદ્ધાંતના પ્રવર્તક તરીકે એકમાત્ર કપિલને ઉલેખ મહાભારતમાં આવે છે: બીજાં નામે કાં તો દેવનાં છે કે ઋષિઓનાં. જેમકે, પર્વ ૨૨. ૩૧૯. ૫૯ માં આત્માનું પ્રતિપાદન કરનારાઓની જે યાદી આપી છે, તેમાં આસુરિ અને પંચશિખનાં નામ જ કપિલના શિષ્ય તરીકે જાણીતાં છે. જોકે તેમાંનાં જંગીષભ્ય અને વાર્ષગાયનાં નામ યોગસૂત્ર ઉ૫૨ના વ્યાસભાગમાં (૨. ૫૫; રૂ. ૫૩) છે, પણ મહાભારતમાં તેમને ઉલ્લેખ ગસિદ્ધાંતના અનુસંધાનમાં ન કહેવાય. | બાદરાયણ અને પંતજલિ એ તે નામ તરીકે પણ મહાભારતમાં અનડ્યાં છે. જેમિનિ અને ગૌતમ નામે માત્ર ઋષિઓનાં નામ તરીકે આવે છે: કોઈ દર્શનના પ્રતિપાદક તરીકે નહીં. નામે પણ પ્રચલિત છે, અને વચ્ચે અને’ મૂકી સાંખ્ય અને યોગ એવાં બે જુદાં નામે પણ.૨ સાંખ્યને માટે કોઈ વખત કપિલર કે સાંખ્યકૃતાન્ત’ નામ પણ આવે છે. પણ મહાભારતમાં વારંવાર સાંખ્યું અને પેગ બંને એક જ છે, ભૂખ લેકે જ તે બંનેને , જુદાં જુદાં જાણે છે; તે બેને- જે એક જાણે છે, તે જ સાચું જાણે છે'- એવા ભાવના ઉલ્લેખો આવ્યા કરે છે." અર્થાત સાંખ્ય અને ગ એ બે જુદા સિદ્ધાંત હોવાને બદલે એક જ ઔપનિષદ સિદ્ધાંત અંગેની બે જુદી નિકાએ છે, એવું જ જણાવવાને મહાભારતને આશય છે. જેમ કે ગીતાના વિવિધ ઉલેખો એકસાથે વિચારતાં સમજાય છે કે, સંન્યાસમાગી, કર્મયોગી, નિર્ગુણઅવ્યક્તબ્રહ્મવાદીઓની નિકા તે સાંખ્યનિષ્ઠા છે; અને કર્મોના ફળમાં બુદ્ધિ રાખ્યા વિના નિત્ય સત્વસ્થ થઈ ઈશ્વરપ્રણિધાન-પૂર્વક કર્મયોગ આચરવા દ્વારા આત્મયોગ તરફ વળતી નિષ્ઠા તે યોગનિકા છે.' - ' સાંખ્ય અને વેગ વચ્ચેનો ભેદ બતાવતાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે, સાંખ્ય “ઈશ્વર માં નથી માનતું. પરંતુ સાંખ્ય સિદ્ધાંતને “અતીશ્વર ' કહેવો હોય, તે તે ઉપનિષદેને નિર્ગુણ બ્રહ્મસિદ્ધાંતને જે અર્થમાં અનીશ્વર કહેવાય તે અર્થમાં જ; નાસ્તિકદર્શનના અર્થમાં અનીશ્વરવાદીઓને ગીતાએ જે વિશેષણો વ૮ ૧. પર્વ ૨૨. ૩૪૯. ૭૪ ઈ. ૨. પર્વ ૨. ૫૦, ૩૩; ૨, ૫, ૭; રૂ. ૨. ૧૫; ૨. ૭૫, ૭; ૨૩. ૧૪૯, ૧૩૯; ૨૨. ૩૪૨. ૮. ૩. પર્વ ૨૨.૩૨૬૪. ૪, ગીતા ૨૮,૧૩, ૫. પર્વ ૨૨. ૩૧૭. ૨૯; ગીતા. ૬. ૪-૫.. ૧. એક '. ૪-૬; રૂ.૩; ૨, ૩૯ ૪૦; ૨૩, ૨૪; ૨૨. ૧; ૧૨, ૬-૭; ૧૨. ૯; ૨૨. ૧૦-૧૧-૧૨. ૭. મહા પર્વ ૨. ૩૦૧.. ૮. આસુર, શૌચ-આચાર-સત્ય વગરના, નહાત્મા, અલ્પબુદ્ધિ, અશચિત્રત, કાપભેગપરમ, કામોધપરાયણ, કામગપ્રસક્ત ઇ. Jain Education Internation For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy