________________
પરિશિષ્ટ - ૧
યોગ એટલે શું? મળી શકે, અને તે એ છે કે, આ દશાનો અનુભવ કરનારા તે પછી પણ જગતમાં રહી પિતાને બોધ જણાવતા રહ્યા છે; એટલે નિબીજ સમાધિ થતાં દેહ પડી જાય એમ ન માની શકાય. પણ આ કેવળ તાર્કિક સવાલ છોડીએ. એટલી વાત સાચી લાગે છે કે, પિતાના પુરુષાર્થ, અભ્યાસ અને વૈરાગ્યથી માણસ ત્યાં પહોંચી શકે છે. પછીની દશા જે હશે તે ભલે હે, મુબારક જ હશે એટલું જાણવું બસ થાય. તે દશાએ જીવ અને શિવનો યોગ થાય છે; તેથી જીવ તરીકે જીવપણું– તેનો અહંભાવ મરી જાય એ ખરું, પણ તેની સાથે દેહ ખરી જ જાય, એ તેનું અવિચ્છિન્ન પરિણામ શું કામ હોય ?
એમ સૂત્ર રમાં જે “ચિત્તવૃત્તિનિરોધ એટલે યોગ” એવું કહીને પ્રકરણ શરૂ કર્યું હતું, તે છેવટે પૂરું થાય છે. એ નિરોધ તે નિબ જ સમાધિ છે; અને એ સમાધિનું સ્વરૂપ કેવું છે તે વચ્ચેનાં ૫૦ સૂત્રો દ્વારા સમજાવી, શરૂ કરેલું યોગનુશાસન પૂરું થાય છે. ૧૯-૧૨-'૫૧
સમાજને વ્યાપક ગ” મનુષ્યસમાજનો ઇતિહાસ જોઈએ તે એમ લાગે છે કે, ગીતાકારનું નીચેનું વાક્ય માત્ર અધ્યાત્મ-ક્ષેત્રમાં જ નહિ પણ ઉપયોગી એવી બધી વાતોમાં સાચું છે?
“હજાર મનુષ્યમાં કોક જ્ઞાનપૂર્વક સિદ્ધિ પાછળ પડે છે અને એમ મંડનારામાં કેક ફાવે છે; અને એવા ફાવનારામાં પણ સો ટકા સત્યની પાછળ જ પડનારો તે વળી કેક જ હોય છે.” સારાશ અને સચ્ચાઈની પાછળ મંડવાનું એવું અઘરું કામ છે. એમ કરવા જતાં રસ્તામાં એવાં એવાં ને એટએટલાં પ્રલોભન, આકર્ષણે, વિને, પ્રમેહનો વગેરે આવે છે કે, શરતમાં પાર જનાર તો કરોડમાં કેક બને છે. પરંતુ આ ઉપરથી એવો અર્થ નથી નીકળતું કે, માટે કેઈએ તે રસ્તે જવાની જરૂર નથી. ઊલટું, એમાં એ વસ્તુ બતાવી છે કે, આવું અઘરું ને અટપટું કાર્ય પણ અસાધ્ય નથી; મનુષ્ય ધારે તો તેમાં પણ ફાવી શકે છે. અને એમ ફાવવા માટે એક જિંદગી શું અનેક જિંદગી પણ લાગે, છતાં ફાવી શકાય છે. એવી જિંદગીઓ જગતની રચના કરનાર આપે છે, એટલે કે,
* શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “ગશાસ્ત્ર” (પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ) ની પ્રસ્તાવના તરીકે લખેલ લેખ (૧૫-૧-'૧૮ ). આ પસ્તકના પા. ૧૩ ઉપર ખા ગશાસ્ત્રને ઉલ્લેખ છે તે પણ જુઓ.
૧૭
Jain Education International
For Private & Personal use only