SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ૩૫ ' સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ ગયા પ્રકરણમાં આપણે જોયું કે, ચિત્ત વડે આપણને જે બેધ અથવા સંપ્રજ્ઞાન થાય છે, તેની પ્રક્રિયાને પૃથક કરી જોઈએ તો તેમાં ચાર ચાખા ભાગ કે તેનાં પગથિયાં બતાવી શકાય: ૧. વસ્તુ કે પદાર્થનું રૂપ બરોબર ગ્રહણ થવું તે. અને માટે શાસ્ત્રીય શબ્દ વત છે. ૨. વસ્તુ કે પદાર્થનું બાહ્ય રૂપ અવગત થાય, એટલે અંતઃકરણનું અંદરનું કાર્ય થાય છે; અને તેનો પ્રકાર જોઈએ તો “વિત થી તે નોખો પાડવા જેવો વિશેષ છે. તેનો શાસ્ત્રીય શબ્દ “વિવાર” છે. ૩. આ વિતર્ક-વિચારથી મળી રહેતા સંપ્રજ્ઞાનથી ચિત્તની તે તે પદાર્થવિષયક બનેલી વૃત્તિ શમે છે; અને વૃત્તિ શમે તેની સાથે આનંદ્ર જન્મે છે. દરેક સંપ્રજ્ઞાનના અનુભવમાં આ પણ એક અંશ રહેલો હોય છે. ૪, અને આ બધું સંપ્રજ્ઞાન મને થયું, એ ભાવ પણ જાગે છે. સામાન્ય રીતે આવું ભાન ન થાય એમ બને જ નહિ. સંપ્રજ્ઞાનમાં આ પણ એક તેનું નોંધપાત્ર અંગ છે. તેને શાસ્ત્રીય શ દ “અસ્મિતા' છે. યોગવિદ્યા જે વસ્તુની ચર્ચા કરવા માગે છે, તે સમજાવવા માટે તેને સંપ્રજ્ઞાનનાં આવાં ચાર સ્પષ્ટ અંગે સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ બતાવવાં જરૂરી છે. યુરોપીય માનસશાસ્ત્ર પણ સંપ્રજ્ઞાનનું પૃથક્કરણ કરે છે, તેની અહી સરખામણીમાં ન ઊતરીએ. પરંતુ સંપ્રજ્ઞાન થવાની પ્રક્રિયા ઊંડામાં ઊંડે ઊતરીને તપાસીએ, તે તેમાં સ્પષ્ટ દેખાતાં વિતક તથા વિચાર અંગે ઉપરાંત આનંદ તથા અસ્મિતા પણ નેધવાં જોઈએ, એ ધ્યાનમાં લેવાનું છે. આ ચારે અંગે દરેક સંપ્રજ્ઞાનમાં હોય છે. એમ બને કે, તે ઓછોવત્તાં ખ્યાલમાં આવે. યોગશક્તિથી, એટલે કે એકાગ્રતા અથવા અભિમત ધ્યાન વડે કામ કરીએ તો, આ ચાર અંગે વિલક્ષણ રૂપે જોવા મળે. દાવ ત એક વિજ્ઞાનીનું કામકાજ લે. તે વિતક-ગ કરે છે એમ કહેવાય. તે અમુક કઈ પદાર્થ તપાસવાને માટે લે છે. એમાં તે સંપ્રજ્ઞાનના વિતર્ક અંગ પર વિશેષ જોર આપે છે. અગાઉ જાણેલી વસ્તુઓની સાથે તુલના કરતાં તથા તેઓ કરતાં એમાં જોવા મળતાં વ્યતિરેક કે વિશેષતા જોતાં જોતાં, વિજ્ઞાની છેવટે, પોતે તપાસવા લીધેલા પદાર્થનું સંપ્રજ્ઞાન મેળવે છે; તે શેધી કાઢે છે કે, એ પદાર્થનું લક્ષણ શું છે. આવી શોધ થાય ત્યારે તેને આનંદ થાય છે; તે માટે શોધક કહેવાય છે. • આમ વિજ્ઞાનીનું મુખ્ય ક્ષેત્ર વિતક પર એકાગ્રતાથી લાગવામાં રહેલું છે. વિચાર, આનંદ, અરિમતા ત્યાં ગૌણ રહે છે. એના વ્યવસાયને વિતર્જ-સમાધિ કહી શકાય. એવી જ રીતે સૂકમ એવા વિચાર અંગે વિશેષતા રાખીને કામ કરનારને દાખલ જોઈએ, તે સમાજ-વિજ્ઞાન ૧૪૮ For Private Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy