SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! ગરીબ થયા છે એમ તે ન જ કહી શકાય. વળી ૧૮૮૦માં એકર દીઠ અનાજની પેદાશ ૭૩૦ રતલ હતી. જ્યારે, ૧૮૯૮માં તે વધીને ૭૪૦ રતલ થઈ છે. કેટલાક દાખલામાં કદાચ સુધરેલી ખેતીને લઈને પણ તેમ બન્યું હશે; પરંતુ, બીજા ઘણી મોટી સંખ્યાને દાખલાઓમાં તે સરકારે વધારેલી નહેરો અને પાણીની સગવડને લીધે તેમ બન્યું છે.” વાઈસરોય સાહેબ ઉપર જે બેલ્યા છે, તે બધું સાચું છે કે નહિ તે હવે આપણે તપાસવું જોઈએ. તેઓ સાહેબ કહે છે કે, ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીન ૧૯૪,૦૦૦,૦૦૦ એકર હતી તે વધીને હાલમાં ૨૧૭,૦૦૦,૦૦૦ એકર થઈ છે. એટલે કે, તેમાં ૨૧,૦૦૦,૦૦૦ એકરને વધારો થયો છે. તે બંને આંકડાની બાબતમાં તેમણે ગણ્યું જ માર્યું છે. ફેમિન કમિશને આપેલા આંકડા પ્રમાણે ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીને ૧૯૪,૦૦૦,૦૦૦ એકર ન હતી પરંતુ ૧૮૨,૭૫૦,૦૦૦ એકર જ હતી. તથા ડિરેકટર જનરલ ઓફ સ્ટેટીકસે જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૯૮માં ખેડાણ જમીન ૨૧૭,૦૦૦,૦૦૦ એકર નથી, પણ માત્ર ૧૯૬,૪૯૭,૨૩૨ એકર જ છે. એટલે કે વાઈસરોય સાહેબે ૨ કરોડ દસ લાખ એકર જમીનની બેડી ગ૫ મારી છે. તેટલા એકરની કુલ પેદાશ, વાઈસરોય સાહેબના હિસાબે, એકરે ૭૪૦ રતલ પ્રમાણે ૧૫,૫૪૦,૦૦૦,૦૦૦ રતલ થાય; એટલે કે તે ૨ કરોડ સાઠ લાખ માણસની આખા વર્ષની ખાધાખરચી થઈ. ધન્ય છે હિંદુસ્તાનને, જેના રાજકર્તાઓ બબ્બે કરોડ માણસની આખા વર્ષની ખાધાખરચી માત્ર શબ્દને બળે જ ઉપજાવી શકે છે ! વાઈસરૉય સાહેબ વિદ્યા આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે જોયું તેમ ખેડાણું જમીનમાં ઈ. સ. ૧૮૮૦ થી ૧૮૯૮ની વચ્ચે વાઈસરોય સાહેબ કહે છે તેમ ૨૧,૦૦૦,૦૦૦ એકરને વધારો નથી થયો, પણ ૧૩,૭૪૭,૫૩૨ એકરને જ થયો છે. હવે વાઈસરેય સાહેબ એમ કહે છે કે જેટલી વસતી વધી છે, તેટલી જ જમીન પણ વધી છે; એટલે મૂળ જમીન ઉપર વધેલી વસતીને બેજે વધવાથી લોકો વધુ ગરીબ થયા છે એમ ન જ કહી શકાય. પણ વસ્તુસ્થિતિ સાચે જ તેવી છે? જરાય નહિ. ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીન ૧૮૨,૭૫૦,૦૦૦ એકર હતી. (ગણો ૧૮૩,૦૦૦,૦૦૦) અને વસ્તી ૧૯૧,૦૦૦,૦૦૦ માણસની હતી. એટલે કે, ૧૦૦ માણસ દીઠ ખેડાણ જમીન આશરે ૬ એકર હતી.* વળી જમીનના એકર વધવાથી ખેતીની પેદાશમાં વધારે થવો જ જોઈ એ એમ નથી. ઊલટું સામાન્ય રીતે ખેડાણ જમીન જેમ જેમ વધતી જાય છે, અને જંગલે, ચરા વગેરે ઓછાં થતાં જાય છે, તેમ તેમ જમીનને કસ ઘટતો જાય છે. દાખલા તરીકે ફેમિન કમિશન આગળ જુદી જુદી પ્રાંતિક સરકારે એ આપેલા આંકડા જુઓ: જેમ જેમ જમીનનું પ્રમાણ વધ્યું, તેમ તેમ પેદાશ ઘટી, એ વસ્તુ તેમાંથી સ્પષ્ટ જણાશે. પંજાબ ખેડાણ જમીન દર એકરે અનાજની પેદાશ વર્ષ (અનાજની) રતલ ૧૮૮૦ ૧૮,૫૦૦,૦૦૦ ૧૮૯૮ ૧૯,૧૮૪,૬૫૫ ૬૨૭ ઘટાડે ૧૮ રતલ Jain Education International For Private & Personale Only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy