SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! પરંતુ તેમાંથી પણ વાઇસરૉય સાહેબ કે તેમના જેવા બીજા એ રકમ કરતાં જેટલી વધારે લેવાની કૃપા કરે છે, તેટલી બાકીના ૮૦ ટકા જેટલા ખેડૂતાને એછી મળે છે. આ ટીકાના જવાબમાં વાઇસરૉય સાહેબ કાઉંસિલની ઈ. સ. ૧૯૦૧ના માર્ચની ૨૮મી તારીખની સભામાં વદ્યા કે : “ એક જાતના એવા લોકા આ દેશમાં છે કે જે રાતિદવસ આખી દુનિયાને થાળી પીટી પીટીને કહે કહે કરે છે કે, હિંદુસ્તાન દિવસે દિવસે ગરીબ બનતું જાય છે, તથા ખેડૂતા પાયમાલ થવા બેઠા છે. જો આ વસ્તુસ્થિતિ સાચી હેત, તો હું કદી ખાટા અભિમાનથી તેને કબૂલ કરતાં અચકાયા ન હાત, ક્રૃમિન કમિશને ઈ. સ. ૧૮૮૦માં ભેગા કરેલા અને ઈ. સ. ૧૮૮૨માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓને આધારે હું મેલ્યા હતા કે, દેશની ખેતીની કુલ પેદાશ ૩૫૦ થી ૪૦૦ કરોડની છે. * “ પછી તા લેાકેાએ મારા જ આધાર ટાંકી બતાવીને કહેવા માંડયુ’ કે, ‘ ઈ. સ. ૧૮૮૨માં હિંદુસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક ૨૭ રૂપિયા હતી તે ઘટીને સામાન્ય વર્ષોમાં ૨૨ રૂપિયા થઈ ગઈ છે. અને ઈ. સ. ૧૯૦૦માં તે। તે ઘટીને ૧૭ રૂપિયા થઈ ગઈ છે. આમ અંગ્રેજ સરકારના રાજ્યમાં લોકા વર્ષાવ ગરીબાઈ અને ભૂખમરામાં વધારે તે વધારે ૧૧૨ * જોકે ફૅમિન કમિશને તા વધારેમાં વધારે રકમ ૩૫૦ કરોડની કહી છે. છતાં વાઇસરોય સાહેખ તે કૂદીને ૩૫૦ થી ૪૦૦ કરોડ સુધી ગયા છે. પરંતુ એકાદ બે લીટી પછી તે સાહેબ કાંઈ પણ કારણ વિના ૪૫૦ કરોડની રકમ આગળ ધરવાના છે ! એટલે કે, દેશમાંના ૮ કરોડ માણસની આખા વર્ષની આવક વાઇસરોચ સાહેબ માત્ર વાત વાતમાં વધારી શકે છે ! Jain Education International વાઇસરૉય સાહેબ વધા ૧૧૩ સપડાતા જાય છે; છતાં વાઇસરૉય સાહેબ સીમલાની ટેકરીએ એસીને જેમ રામ અળતું હતું ત્યારે તેને બાદશાહ નીરા ફિંડલ વગાડતા હતા, તેમ ચમન કર્યાં કરે છે......’ પરંતુ આ બાબતમાં મે... ચાક્કસ તપાસ કરી છે અને પરિણામે મને જણાયું છે કે, ચાક્કસ આંકડા ખેલવાની વધારે પડતી ચ્છાથી તે વખતે ખેતીની પેદાશ મેં ૩૦૦થી ૪૦૦ કરોડ કહીને ઘણી ઓછી કહી હતી. પરંતુ ખરી રીતે તે આવક ૪૫૦ કરોડની છે. ઈ. સ. ૧૮૮૦ની ગણતરી પ્રમાણે માત્ર ખેડૂતાની વાર્ષિક આવક ૧૮ રૂપિયા હતી. હવે અત્યારે ખેતીની પેદાશ ઓછામાં ઓછી ૨૨૩,૦૦,૦૦૦૦ રૂપિયા ગણીએ, તેાપણ માથા દી: ૨૦ રૂપિયા થશે. એટલે કે, ઈ. સ. ૧૮૮૦માં હતી તેના કરતાં ઘટવાને બદલે એ રૂપિયા જેટલી વધી છે. તે જ પ્રમાણમાં ખેતી સિવાયની આવક પણ વધી છે એમ માનીએ, તે। આખા હિંદુસ્તાનની માણસ દીઠ વાર્ષિક આવક ઈ. સ. ૧૮૮૦ના ૨૭ ને બદલે ૧૮૯૮-૯માં ૩૦ રૂપિયા થશે. જોકે આ બધા આંકડા ચોક્કસ છે એમ હું નથી કહેવા માગતા; તેમજ તેમાં કલ્પના અને અંદાજના સારી પેઠે આધાર લેવા પડયો છે, પરંતુ નીચેની આખતા તે ચોક્કસ જ છે, એટલે તેમના આધાર લઈને આપણે જરૂર કહી શકીએ કે, ખેડૂતાની આવક ઘટી છે એમ કાઈ પણ રીતે કહી શકાય નહિ, જેમ કે, દાખલા તરીકે, ૧૮૮૦માં ખેડાણ જમીન કુલ ૧૯ કરોડ ૪૦ એકર હતી. પરંતુ હવે તે વધીને ૨૧ કરોડ ૭૦ લાખ એકર થઈ છે. એટલે જે પ્રમાણમાં વસતી વધી છે, તે જ પ્રમાણમાં ખેડાણ જમીન પણ વધી છે, એટલે લેાકેા લાખ વધુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy