SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! ઉપરાંત, ઈ. સ. ૧૯૦૦માં જમીનને વધારે ૧૦૦,૦૦,૦૦ એકરનો છે. પરંતુ વસ્તીને વધારે ૪,૦,૦૮૫,૧૩૨ છે. (બ્રહ્મદેશ બાદ કરીને ) એટલે કે, વધેલી વસ્તીને માત્ર ૧૦૦ માણસે ૨૫ એકર જમીન મળે. વાઈસરોય સાહેબ કહે છે તેમ વસ્તીના પ્રમાણમાં જમીન પણ વધી હોય, તે ખરી રીતે ૧૦૦ માણસ દીઠ ૯૬ એકર જમીન થવી જોઈતી હતી. એટલે, વધેલાં ૧૦૦ માણસ દીઠ જે ૭૧ એકરની ખાધ પડી, તેટલે બજે કુલ જમીન ઉપર જ વશે એટલે કે લેકે તેટલા ગરીબ બન્યા.* સંયુક્ત પ્રાંત ૧૮૮૦ ૩૧,૪૫૦,૦૦૦ ૧૮૯૮ ૩૫,૯૧૧,૬૫૦ ૭૬૪ ધટાડો ક૬ મધ્ય પ્રાંત ૧૮૮૦ + ૧૨,૦૦૦,૦૦૦ ૫૧૩ ૧૮૯૮ ૧૪,૦૦૦,૦૦૦ ધટાડો ૩૩ રતલ * ૧૯૩૩-૪ની ગણતરી પ્રમાણે બ્રિટિશ હિંદની કુલ માપણીની જમીન ૬૬૮,૩૯,૪૧૪ એકર છે. તેમાં ખેડાણ જમીન ૨૭૯૮૮૫,૫૭૬ એકર છે. એ માણસે ખેડાણ જમીન ૧૦૩ એકર છે. આમ દર સે માણસે ખેડાણ જમીનનું પ્રમાણ વધ્યું લાગે છે, પણ બીજા ધંધાઓ પડી ભાગવાથી ખેતી ઉપર આધાર રાખનારા કેની સંખ્યા વધી છે. ઈ. સ. ૧૮૯૧માં કુલ વસ્તીના ૬૦ ટકા લકે ખેતી ઉપર આધાર રાખનારા હતા. તે ૧૯૭૧માં વધીને ૭૩ ટકો થયા છે. ' વાઈસરૉય સાહેબ વદ્યા ૧૧૭ વાઈસરૉય સાહેબ બીજી દલીલ એ આપે છે કે, ઈ. સ. ૧૮૮૦માં અનાજની એકર દીઠ પેદાશ ૭૩૦ રતલ હતી, અને હવે ૧૮૯૮માં ૭૪૦ રતલ થઈ છે. એટલે તો ચોક્કસ કહી શકાય કે ખેડૂતોની તેમજ દેશની આવક પહેલાંના કરતાં ઘટી તે નથી જ. આપણે એ દલીલ તપાસીએ. ત્યાર પહેલાં હું સરકારી આંકડાઓ વિષે બે શબ્દ વાચકને કહી દઉં. સરકારી આંકડા, કોણ જાણે શા કારણથી, પરંતુ એટલા ખોટા તથા પરસ્પર વિરોધી હોય છે કે, તેમના ઉપર આધાર રાખવાની મૂર્ખાઈ કાઈ જ ન કરી શકે. જેને દેશ વિષે સાચી માહિતી મેળવવી છે, તેને કદી તે આંકડાઓ ઉપર આધાર રાખે ચાલે નહિ. દાખલા તરીકે ૧૮૮૦નું મિન કમિશન એકર દીઠ દેશની સરેરાશ પેદાશ ૬૯૫ રતલની જ કહે છે; વાઇસરોય સાહેબ કહે છે તેમ ૭૩૦ રતલની નહિ. જ્યારે, ૧૮૯૮નું ફૅમિન કમિશન દેશની એકર દીઠ પેદાશ ૮૪૫ રતલ મૂકે છે, વાઈસરોય સાહેબના ૭૪૦ રતલ નહિ. પરંતુ ૧૮૯૮ના મિન કમિશનવાળાઓને ન્યાય આપવા ખાતર કહેવું જોઈએ કે, તેમણે પોતે જ ૮૪પ રતલના આંકડાને ખોટો માને છે. હંમેશાં તે લોકોને પ્રાંતિક સરકારે જે આંકડો પૂરા પાડે તે ઉપર જ આધાર, રાખવાનું હોય છે. અને પ્રાંતિક સરકાર દરેક વખતે - જાણે કે વડી સરકારની મસલતથી જ - દેશમાં દુકાળનું દુ:ખ ભારે નથી એમ સાબિત કરાવી આપવા જાણી જોઈને વધારેલા તથા બેટા આંકડાઓ જ આપે છે. મિન કમિશનવાળાઓએ જ જણાવ્યું છે: “બંગાળની Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy