SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આબાદ હિંદુસ્તાન! ખરી વાત છે તેથી ઊલટી જ છે. જે હું ૨૦ પાઉંડને માલ કાઈને આપું, અને બદલામાં મને ૫ પાઉંડને માલા મળે અને ૫ પાઉંડની કિંમતની ચાંદી મળે અને એ રીતે મને ૨૦ પાઉંડના ભાલના બદલામાં બધું થઈને માત્ર ૧૦ પાઉંડ જ મળતા હોય, તે પછી પાંચ પાઉંડની ચાંદી મને મળે એટલે દર વર્ષે હું પાંચ પાઉંડ જેટલો પૈસાદાર બન જાઉં છું એમ કેઈ કહે, તે તે પછી મારી સંપત્તિ ખરે જ ઈર્ષાજનક ગણાવી જોઈએ.” જે લેકે આ બધી વિગત ઉપર ધ્યાન આપ્યા વિના, દર વર્ષે દેશમાં ચાંદી આવે છે તેટલા ઉપરથી જ દેશ સમૃદ્ધ બનતો જાય છેએમ કહેવાની અક્કલ બતાવે, તેમને પેલી કીડી જેવા જ ગણવા જોઈએ કે, જેને માત્ર એક કણ જ ખાવા જોઈતો હોય તેથી કરીને આઠ વેંતને માણસ પેટ પણ ન ભરાય તેટલો એક ટુકડો રોટલે ખાવા પામે તે જોઈને આશ્ચર્ય બતાવવા મંડી જાય. આ બધું ધ્યાનમાં લીધા બાદ પણ એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે, ઈડના કરતાં હિંદુસ્તાનમાં, વેપારના વિસ્તારના પ્રમાણમાં વધારે ચલણી નાણું જોઈએ છે. અને તેનું કારણ, હિંદુસ્તાનમાં પ્રવતી રહેલી શાખના વ્યવહારની અગવડ છે, જે સુધારવા સરકારે ધ્યાન આપ્યું નથી. * ઘરેણાં અને ઝવેરાતથી ઊભરાતું હિંદુસ્તાન! ૧૦૩ આ બધી વસ્તુઓ જોયા બાદ સમજાશે કે દેશમાં આવતાં સેનાચાંદીનું શું થાય છે. તેમાંને ઘણે મોટો ભાગ તે વેપારના સામાન્ય વ્યવહાર માટે જોઈએ છે અને તેને માટે જ વપરાય છે. છતાં બહારથી આવતાં સોનાચાંદીના પ્રમાણે ઉપર જ જેઓ દેશની સંપત્તિને હિસાબ કાઢવા જાય છે તેમને એક જ વાત કહેવી બસ થશે કે, જે વર્ષે દેશમાં વધારેમાં વધારે સેન્ચાંદી આવ્યાં હતાં, તે જ વર્ષે એટલે કે ઈ. સ. ૧૮૭૭–૭૮માં જ આખા દેશમાં ભયંકરમાં ભયંકર દુકાળ પડ્યો હતો ! વળી બીજી એક દલીલ એ કરવામાં આવે છે કે, દેશમાં કરોડો રૂપિયાનું ઝવેરાત પેટીઓમાં પડી રહેલું છે; લોકોને જરઝવેરાત વાપરવાની ટેવ વધારે હોવાથી જે પૈસા વેપારઉદ્યોગમાં રોકાયેલા હોવા જોઈએ. તે આવી આવી નકામી વસ્તુઓમાં રોકાઈ રહે છે. મિ. ડેનિયલ કહે છે કે, આખા દેશમાં નહિ નહિ તે ૪ અબજ ૫૦ લાખ રૂપિયાનું ઝવેરાત પડેલું છે. હવે તે સાહેબને ૩૦ વર્ષ ઉપર કરેલો કારણg = વસ્તુસ્થિતિ તરીકે સ્વીકારી લઈ એ, તેમજ ધ્યાનમાં રાખીએ કે એ જરઝવેરાત લોકેએ અંગ્રેજોના રાજ્યમાં પેદા નથી કર્યું પણ જમાનાઓથી પેઢી દર પિઢી તેમને વારસામાં મળેલું છે, તેમ છતાં કોઈને * જુદા જુદા દેશોમાં દશ લાખની વસ્તીએ બેંકનું પ્રમાણ નીચે મુજબ છે (ઈ. સ. ૧૯૨૫): - ઇંગ્લંડ ૨૮૫, અમેરિકા ૨૫૬, જપાન ૯૨, હિંદુસ્તાન ૨. તેમાં પણ ઈ. સ. ૧૯૧૩ પછી હિંદુસ્તાનમાં ૯૦ બેંકો ફડચામાં ગઈ, તેથી બેંકો ઉપર લોકોને અવિશ્વાસ વધતો ગયો. ગામડાંમાં શાહુકારની પ્રતિષ્ઠા સરકારે ઓછી કરી નાખી છે. આવી સ્થિતિમાં નજીવી આવકમાંથી પણું જે કાંઈ બચત હય, તે લાકે બીજે ક્યાં રાખે ? આ કારણે લોકો તેનારૂપ તરફ નજર ન નાખે તે શું કરે ? Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy