SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આબાદ હિંદુસ્તાન! લખપતિ થતા જાય છે; અને ઘરેણાં ઉપર ઘરેણું શરીર ઉપર લાદા કરે છે. છતાં એ દલીલને રદિયો તે આપ સરકારી આંકડાઓ મુજબ ઈ. સ. ૧૮૩૫ થી ૧૯૦૦ સુધીનાં છેલ્લાં ૩પ વર્ષ દરમ્યાન હિંદુસ્તાનમાં કુલ ૩૭૪,૮૫૩,૮૫૭ પાઉંડનું સેનું અને ચાંદી ૬૫ વર્ષ દરમ્યાન હિંદુસ્તાનમાં આવ્યાં છે. હવે તેમાંથી લોકોને ઘેર કેટલાં ગયાં છે, તે તપાસીએ. તે ૬૫ વર્ષ દરમ્યાન સરકારે ટંકશાળ માટે પાઉડ વાર્યું : - ૩૪,૫૭૦, ૬ ૬૫ દેશારાજેએ ટંકશાળ માટે વાપર્યું : ૧૩,૦૦૦,૦૦૦ સરકારના અંદાજ પ્રમાણે ૬૫ વર્ષ દરમ્યાન સિક્કાઓના ઘસારા પેટે જતા કરવાના : ૬૫,૦૦૦,૦૦૦ નાની નાની ઘૂઘરીવાળાં ઘરેણાંના ઘસારા પેટે માણસદીઠ વર્ષે એક આના લેખે ગણીએ તે પંણ : ૪૩,૩૩૩,૨૯૦ એટલે લોકો માટે કુલ બાકી રહ્યું ૨૨૧,૯૪૯,૯૦૨ એ ૬૫ વર્ષ દરમ્યાન બ્રિટિશ હિંદની સરેરાશ વસ્તી ૧૮ કરોડની ગણીએ, તો દર વર્ષે માથાદીઠ ૪ આનાની કિંમતનું સોનું દેશના લોકોએ “ઘરેણાં લાદવામાં” કે “જમીનમાં દાટવામાં” વાપર્યું છે ! ! અને આટલી મોટી રકમ ઉપર તે વાઈસરોય સાહેબ કહેવા માગે છે કે, “હિંદુસ્તાનના લોકે દર વર્ષે આટઆટલું સોનું ચાંદી જમીનમાં દાવ્યા કરે છે, તો પણ હિંદુસ્તાન ગરીબ બનતું જાય છે તેમ શી રીતે કહેવામાં આવે છે. ઘરેણું અને ઝવેરાતથી ઊભરાતુ હિંદુસ્તાન! ૧૦૧ પરંતુ બીજી કેટલીક વિગત બાદ કરવાની રહે છે. દેશી રાજ્યોના લોકે અંગ્રેજ સરકારની પ્રજા કરતાં પ્રમાણમાં વધુ સમૃદ્ધ છે; એટલે તેઓ સ્વાભાવિક રીતે વધુ ઘરેણાં પહેરે છે તથા વધારે સોનું ચાંદી સંધરે છે. સામાન્ય રીતે દેશીરાજ્યની પ્રજાને કુલ વેપારમાં 3 થી પણ વધારે હિસ્સો હોય છે એટલે સોનાચાંદીની કુલ આમદાનીમાંથી પણ તેમને ૧ ભાગ બાદ કરવો જોઈએ. તો પછી અંગ્રેજી પ્રજાને ભાગે દર વર્ષે માથા દીઠ ૩ આનાનું સોનું કે ચાંદી આવે ! આપણે મુંબઈ ઈલાકાને જ દાખલો લઈએ. તેના વેપારના આંકડા તપાસશો તે માલૂમ પડશે કે, રજપૂતાના, ભયહિંદ અને નિઝામ હૈદ્રાબાદનાં દેશી રાજ્યો જેટલી કિંમતનો ભાલ મુંબઈ થઈને પરદેશ મોકલે છે, અને જેટલી કિંમતનો બહારથી મંગાવે છે, તે બે વચ્ચે ૭,૧૩,૦૫,૭૯૬ રૂપિયાને તફાવત છે. એટલે કે, તેઓને આટલા રૂપિયા માલમાં નહિ પણ રોકડ નાણાં અથવા સોનાચાંદીરૂપે પાછા મળે છે. હિંદુસ્તાનમાં આવતાં સોનાચાંદી ક્યાં જાય છે, તે હવે બધા સમજી શકશે. જે બીજી બધી વસ્તુઓ સમાન હેત, અને બહારથી આવતાં સેનાચાંદી દેશ પરદેશ ચડાવેલા માલ ઉપર નફા તરીકે આવતાં હેત, તે એમ કહી શકાય કે, વખત જતાં હિંદુસ્તાન જરૂર છેડેઘણો સંઘર કરી શકે. પરંતુ શ્રી. દાદાભાઈ કહે છે તેમ ? વસ્તુસ્થિતિ એવી છે જ નહિ. જે ચાંદી આવે છે, તે દેશે કરેલી નિકાસ ઉપર નફા તરીકે નથી આવતી. Jain Education International For Private & Personal use only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy