SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૩. વેરાને લાયક જમીનની આવકમાં સામાજિક કારણથી વધારે થાય, તે રાજ્યને તેમાંથી હિરસે મળે. ૪. ખરાબ વર્ષોમાં ખેડૂતોને મહેસુલના ભરણામાં રાહત મળે. ટૂંકામાં, મહેસૂલ વધારવાની દૃષ્ટિ રાખવાને બદલે ખેડૂતનું હિત સચવાય અને રાજ્યને કારભાર પણ ચાલે એવી રીતે મહેસૂલનું ઘેરણ રાખવું જોઈએ. આ દૃષ્ટિએ બંગાળની કાયમી પદ્ધતિને બદલે સુધારેલી રૈયતવારી પદ્ધતિને સહૃદયી અમલ હાલમાં પસંદ કરવામાં આવે છે. ગામ દીઠ મહેસૂલનું ધોરણ રાખવાનું પણ કેટલાક પસંદ અને આવક ખર્ચના આંકડા મેળવી જુએ છે. સરકાર હિસાબ રજૂ કરે છે, અને મહેસુલ દ્વારા થયેલી આવક અહીં દેશમાં જ ખરચી નાખવામાં આવે છે. એમ બતાવે છે. પરંતુ એ ખચમાંથી અણઘટતી રીતે કેટલા પૈસા પરદેશ ચાલ્યા જાય છે, તે હિસાબમાં આવતું નથી. ખરી રીતે ઉપ૨ ગણાવ્યા પ્રમાણે અનેક રીતે – પહેલાંના કરતાં પણ વિશેષ પ્રમાણમાં – કરોડોનું ધન દર વરસે પરદેશ ઘસડાઈ જાય છે. આ નવા જમાનાની નવી પદ્ધતિની લૂંટ છે. તે આડકતરી રીતે અને સુધરેલી ઢબે થતી હોવાથી સામાન્ય માણસને ખ્યાલમાં જલદી આવતી નથી, પરંતુ તેથી તેની તીવ્રતા ઓછી નથી થતી. ઊલટી તે વધારે ભયંકર બને છે. સીધી લૂંટ પ્રજાની આંખમાં જલદી ખૂચે; ત્યારે આવી લૂટ ઊંડા ઊતરીને નિરીક્ષણ કરનારને જ સમજાય. આથી જ જમાનાઓથી ચાલતી આવેલી લૂંટ પ્રજાને સાલતી નથી અને લોકે શાંતિથી સહન કર્યો જાય છે. આર્થિક સ્ત્રાવ આર્થિક સ્ત્રાવ આજે અનેક રીતે વધે છે. સરકાર દર વરસે કરોડો રૂપિયા “હમ ચાર્જિસ' તરીકે ઈંગ્લડ મેકલે છે. તે ઉપરાંત પરદેશી વેપારીઓનાં કમિશન અને નફો, બેંકે, સ્ટીમર કંપનીઓ, વીમા કંપનીઓ અને એવી બીજી અનેક જાતની કંપનીઓનાં કમિશને તેમજ નફ, પરદેશીઓની મૂડીનું વ્યાજ, પરદેશી નેકના પગારે વગેરે દ્વારા દેશનું ધન પરદેશ વહી જાય છે. અંગ્રેજી રાજ્યની શરૂઆતમાં દર વરસે વાર્ષિક બજેટ કરવાને બદલે મહેસૂલની આવકમાંથી માલ ખરીદીને પરદેશ ચઢાવવામાં આવતા અને તે કંપનીને નફે ગણતે. એ લૂંટ સીધી અને સ્પષ્ટ હતી. હવે લેકે ના કહેવાતા પ્રતિનિધિઓની સભાઓ દર વરસે લાખના ખરચે મળીને સરકારી બજેટને સંમતિ આપે છે રેલવે અને દુકાળ રેલવે થવાથી માલની છત અછત ઘણું ભાગમાં વહેચાઈ જાય છે. તેથી પરિણામે ઘણા પ્રદેશને કાએમની મેઘવારી વેઠવી પડે છે. જ્યાં અછત હોય, ત્યાં માલ જલદી પૂરી પાડી શકાય છે; એને લીધે દુકાળાની સીધી અસર હવે જણાતી નથી. રેલવેને લીધે દુકાળના સમયમાં પર પ્રાંતમાંથી કે પરદેશમાંથી પણ અનાજ મંગાવી શકાય છે; પરંતુ તે અનાજ લોકેએ ખરીદવું શામાંથી, એ મુખ્ય in Education in For Private Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy