SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! મરી ગયા છે, તેના કરતાં વધારે માણસે એકલા હિંદુસ્તાનમાં માત્ર ત્રણ વર્ષમાં જ મરી ગયા છે.” કેટલાક એમ કહે છે કે, હિંદુસ્તાનમાં પૂરતે વરસાદ પડતો નથી એટલે આખી દુનિયામાં સૌથી વધારે દુકાળ ત્યાં પડે છે. પણ એ ખાલી “સરકારી ” જૂઠાણું છે. કઈ પણ ખરાબમાં ખરાબ વર્ષે પણ હિંદુસ્તાનમાં વરસાદ તે આકાશમાંથી હર સાલ જેટલો જ પડેલો હોય છે. પરંતુ આકાશમાંથી પડેલું પાણી સંઘરી રાખી પ્રજાના ઉપયોગમાં લાવવા માટે સરકારે કાંઈ પણ વ્યવસ્થા કરી નથી હોતી. ઈ. સ. ૧૮૮૦ના દુકાળકમિશનના સભ્યોએ જ જણાવ્યું છે કે : હિંદુસ્તાન દેશના દુકાળ તેમજ તેમની ભયંકરતા ઓછી કરવાને સૌથી ઉત્તમ માર્ગ નહેર ખોદાવવાનો છે. સરકાર સામાન્ય રીતે જ્યારે કશું ખર્ચ ઉપાડવાનું આવે છે, ત્યારે તેમાંથી પિતાને કેટલો નફો થશે, તેનો જ ખ્યાલ કરે છે; પરંતુ આવી નહેરે છેદાવવાથી પ્રજાના કેટલા લોકોને સંરક્ષણ મળશે, પ્રજાની કેટલીય મોટી મનુષ્યસંખ્યા નાહક નાશ પામતી અટકશે, દુકાળના વર્ષમાં મહેસૂલમાં આવતી કેટલી મોટી ખાધ એછી થશે, તેમજ દુકાળસંકટનિવારણ માટે જે ખર્ચ કરવું પડે છે તે પણ બંધ થશે – એને વિચાર જ કરતી નથી. ઉપરાંત જે વર્ષોએ સારો વરસાદ પડ્યો હોય છે, તે વર્ષોમાં પણ નહેરે ખેડૂતને પોતાનાં ખેતરમાંથી વધારે પાક મેળવવામાં તેમજ પાકની વધારે સારી જાતે ઉછેરવામાં દુકાળેઃ તેમની વધતી જતી સંખ્યા ૮૭ કેટલી મદદગાર થાય છે, તે તે જે અનુભવી હોય તે જ જાણી શકે.” * ખેડૂતોને તે ઉપયોગી થાય તે ઉપરાંત મોટી મોટી નહેરથી દેશના સામાન્ય વેપારઉદ્યોગને કેટલું મોટું ઉત્તેજન મળે, તે પણ સમજવા જેવી વાત છે. દેશમાં માંથી મોંઘી અને લાંબી લાંબી રેલવેઓ પાછળ લખલૂટ ખર્ચ કરવા કરતાં સરકારે જે લાંબા લાંબા જળમાર્ગો જ કર્યા હોત, તો લાખો ખેડૂતોને કલ્પનાતીત ફાયદો તે થે જ હોત, પરંતુ તે ઉપરાંત જવઅવર અને માલની લાવજા-લઈજામાં કેટલી સસ્તી સગવડ થઈ હોત, કે કેટલા વહાણવટીઓને મોટી કમાણી થઈ હોત, તે કોઈને ખ્યાલમાં આવતું હોય તેમ લાગતું જ નથી. દેશમાં આવા કેટલાક મુખ્ય જળમાર્ગે થઈ ગયા હોય, તે પછી થોડી ઘણી નવી રેલવેથી જ દેશને વહેવાર પૂરત ચાલી શકે. આમ એક જ સાધનથી જમીનની પેદાશ વધે, ખેડૂતો સમૃદ્ધ થાય, વેપારઉદ્યોગ વધે, પ્રમાણમાં માલની અને માણસની જવઅવર વધે, સેંકડો ખલાસીઓ અને વહાણવટીઓને રોજી મળે, વહાણ બાંધનારા કારીગરોને રોજ મળે, લોકોને જવઅવરનું અને માલની લાવજા-લઈજાનું અત્યારે જે વધારે પડતું ખર્ચ વેઠવું પડે છે, તે ઓછું થઈ જાય; તેમજ રેલવેઓ માટે મોટાં મોટાં વ્યાજ ભરી જે મોટી મૂડી પરદેશથી લાવવી પડી, તથા તેના ઉપર વ્યાજના * ૧૯૩૪ની ગણતરી પ્રમાણે ખેડાણ જમીનના ફક્ત ૧૮ ટકા જમીનમાં પતિથી ખેતી કરવાની સગવડ છે. Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy