SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! અંગ્રેજો આવ્યા પહેલાં ૭૫ વર્ષમાં ૧૮ દુકાળ. અંગ્રેજો આવ્યા બાદ ૧૩૨ વર્ષમાં ૩૬ ભયંકર દુકાળ, * આમ કેમ બન્યું છે? જેમ જેમ આપણું રાજ્ય હિંદુસ્તાનમાં લંબાતું જાય છે, તેમ તેમ આપણું રાજ્યને પરિણામે દેશમાં દુકાળ અને ભૂખમરો વધતાં જ ચાલવાનાં છે કે શું? સાથે સાથે આ દુકાળનાં વર્ષો દરમ્યાન જ ઈગ્લેંડની સંપત્તિ કેટલા વેગથી વધતી ચાલી છે, તેની સરખામણી કરો અને છેવટે એક સિદ્ધાંત તમારા મનમાં ઠસ્યા વિના રહેવાને જ નથી કે, એક બાજુ ઈંગ્લેંડ હિંદુસ્તાનમાંથી પૈસા ઘસડી ઘસડીને પૈસાદાર થતું જાય છે; જ્યારે બીજી બાજુ દુકાળેઃ તેમની વધતી જતી સંખ્યા ૮૫ હિંદુસ્તાન નિવાઈ નિવાઈને દુકાળના ભીષણ પંજાઓમાં હંમેશને માટે સપડાતું જાય છે. જ ઉપરાંત, અત્યારના દુકાળે એ પહેલાંના જેવા દુકાળ નથી; એ વાત પણ ધ્યાનમાં રાખે. પહેલાં: બે ત્રણ વર્ષ લાગલગઢ વરસાદ પડતો નહ તે જ દુકાળ માલૂમ પડત. હવે : એક જ વર્ષ પૂરતું તે શું પણ યોગ્ય વખતે જ વરસાદ ન પડે, તે પણ એકદમ ભયંકર દુકાળ શરૂ થઈ જાય છે. પહેલાં : ગામડે ગામડે અનાજના ભંડાર દુકાળ સામે રક્ષણ માટે સંઘરાયેલા રહેતા. હવે : આપણી રેલવેઓને ધન્ય છે કે, દેશમાં પાકતા દાણાને એક પણ વધારાને દાણ સંઘરાઈ રહેવાને બદલે પવનને વેગે પરદેશ ઘસડાઈ જાય છે. ઉપરાંત રેલવેએથી એક બીજું મોટું દુઃખ એ ઊભું થયું છે કે, દેશના કોઈ પણ એક ભાગમાં દુકાળ પડે છે કે તરત દેશના બીજા સુકાળવાળા ભાગોમાંથી, વધારે ભાવ ઊપજતા હોવાથી અનાજ ઘસડાઈને તે ભાગમાં આવવા માંડે છે; એટલે આખા દેશમાં અનાજના ભાવ ચડી જાય છે, અને સુકાળવાળા ભાગોમાં પણ ગરીબ લોકે પેટ પૂરતું અનાજ (પહેલાંના જેટલી જ આવકમાંથી) ખરીદી શકતા નથી. જ્યારે, પહેલાં કોઈ એકાદ ભાગમાં દુકાળ પડતે, તે તેની આવી ભારે અસર આખા દેશને ખૂણે બેચરે વેઠવી પડતી નહિ. પરિણામે, મિ. વાઘન નેશ જણાવે છે તેમ, આખી દુનિયામાં ૩૦ વર્ષ દરમ્યાન જેટલા કે તાવના રોગથી • ઉપરાંત સરકારે નોંધેલા આ દુકાળોની સંખ્યા વિષે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેટલાંય સતત દુકાળનાં ભયંકર વને સરકાર દુકાળનાં વર્ષ તરીકે ગણતી જ નથી. મિ. નેલ્સ જણાવે છે: મેં ૩૦૦ માણસોના એક ગામડાની તપાસ કરી હતી. તે ગામમાં કેની રોજની સરેરાશ આવક માથા દીઠ એક પૈસા કરતાં પણ ઓછી માલુમ પડી હતી. આટલી આવક ઉપર કોઈ માણસ જીવી જ શી રીતે શકે ? તેઓ માત્ર જીવવાનો પ્રયત્ન કરતાં હતાં એમ કહી શકાય. મેં કેટલાંય ઝુંપડાં એવાં જેવાં કે, જેમાં લોકે મડદાં ખાઈને જ જીવતા હતા. મેં કેટલાય ભૂખે મરતા લેકેના એવા ફેટા લીધા છે કે જેમને સામાન્ય માણસે તે જોઈ પણ ન શકે - છતાં આ બધા દાખલાઓમાં સરકારે દુકાળ ગો ન હતા, Jain Education Internation For Private & Personal use only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy