SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ આબાદ હિંદુસ્તાન! તેમને રાજકારભાર એટલે સફળ નીવડ, કે વિલાયતના ગોરા સાહેબે પણ પિતાની સર્વોપરી સત્તા વડે તેમના જેવાં સારાં પરિણામે બતાવી શક્યા ન હતા. સર સલારજગને જ દાખલો લે. નિઝામની સરકારની મહેસૂલ ૧૮૫૩માં ૬૪ લાખ રૂપિયા હતી; તે ૧૮૮૧માં તેના રાજકારભાર નીચે વધીને ૧ કરોડ ૮૬ લાખ થઈ એટલે કે તેમાં સેંકડે ૨૬ ૦ ટકાનો વધારો થયો. જ્યારે તે જ વર્ષો દરમ્યાન અંગ્રેજે, ઉપર જણાવેલ ભીષણુ જુલમ કર્યા છતાં, પિતાની મહેસૂલમાં માત્ર ૨૫ ટકા જ વધારો કરી શક્યા. ઉપરાંત, દેશી રાજ્યમાં આવો ઉત્તમ રાજકારભાર છતાં, તેનું ખર્ચ કેટલું બધું ઓછું આવે છે, તે પણ જોવા જેવું છે: મહેસૂલ ઉઘરાવવાનું ખર્ચ નિઝામને રાજ્યમાં અંગ્રેજોના રાજ્યમાં દેશી અમલદારો નીચે અંગ્રેજી અમલદારો નીચે સેંકડેઃ રૂ. ૬-૬-૩ સેંકડે: રૂ. ૪૫–૧૪–૫% મેં જાણી જોઈને અંગ્રેજોના દાખલામાં વરાડ પ્રાંતની જ ગણતરી આપી છે. એ વરાડ પ્રાંત ખરી રીતે નિઝામના રાજ્યને જ એક ભાગ છે; પણ અંગ્રેજો તેને એક વાર પચાવી પડ્યા છે તે હવે પાછો આપતા નથી. એ વાત બધા જાણે છે. છતાં એક જ રાજ્યના બે ભાગમાં દેશી અમલદારે નીચેના રાજકારભારનું અને અંગ્રેજી અમલદારો વીસમી સદીની શરૂઆતમાં ૫ નીચેના રાજકારભારનું ઉપરનું પરિણામ વાચકને ખાતરી કરાવી આપવા બસ છે. દેશને પગારના પિસા ઉપરાંત જુદી જુદી ઉત્તમ શક્તિઓની ખિલવણીમાં પણ પરદેશીઓના આ અન્યાયને કારણે કેટલું બધું નુકસાન થાય છે તે, ખુદ ઇંગ્લંડમાં અને યુરોપમાં, યોગ્ય તક મળતાં પરાંજપે, બાળકરામ, ચેટરજી, કાનાબંધુઓ અને બેઝ વગેરેએ કરી બતાવેલા કામ ઉપરથી સમજી શકાશે. કહેવાની જરૂર નથી કે હિંદીઓને જાણી જોઈને જ દબાવી રાખવામાં આવ્યા ન હોત, તે અત્યાર આગમચ હિંદુસ્તાને ક્યારનાય બિસ્માર્ક, કેવર, ગ્લેસ્ટન અને ડિઝરાઈલીની કક્ષામાં આવે તેવા ઉત્તમ રાજનીતિ અને મહાપુરુષો દુનિયાને ભેટ આપ્યા હોત. સૈતિક, બૌદ્ધિક, અને આધ્યાત્મિક દશા માનવસેવાનાં નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં યુરોપ અને અમેરિકાનાં જગપ્રસિદ્ધ નામની તેલે આવે એવી પ્રખર શક્તિવાળે એક પણ માણસ હિંદુસ્તાને નથી આપ્યું. પરંતુ તેનું ખરું કારણ એ છે કે, હિંદુસ્તાનના લોકોને તેમના દેશમાં તેવી જાતના વિકાસની એક પણ તક આપવામાં નથી આવતી. મિ. હેકરેના શબ્દો પ્રમાણે તે ઊલટું તત્ત્વજ્ઞ, રાજનીતિ અને મહાપુરુષો ઉત્પન્ન થાય એવું જે કાંઈ પ્રજામાં હોય, તેને જાણીબૂજીને કચરી નાખવામાં આવ્યું છે. માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં હિંદુસ્તાન દુનિયા આગળ કાંઈકે રજૂ કરી શકે તેમ છે. અત્યારે ચારે દિશામાં સુવિખ્યાત અને મનુષ્ય જાતિના ઉત્તમોત્તમ આધ્યાત્મિક * આખા દેશની ગણતરીએ આ ખર્ચ સેંકડે રૂ. ૧૨-૮-૦ ખાવે છે. ઇંગ્લંડમાં માત્ર રૂ. ૨-૮-૦ આવે છે.' (૧૯૨૪). Jain Education Internation For Private & Personal use only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy