SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ १२ આબાદ હિંદુસ્તાન! દેશની બધી મહેસૂલ દેશમાં જ ખરચાતી હોવાથી પ્રજાને જ બીજે દિવસે પાછી મળતી. જો કે વારેઘડીએ લડાઈ એ, લૂંટફાટ અને ધાડ ચાલ્યા કરતી; પરંતુ તેમને કારણે પાડાયેલાં ૧૦ માણસ દીઠ બીજાં દશહજાર માણસે કશી ડખલ વગર જ પોતાનું જીવન સમૃદ્ધિ, શાંતિ અને આનંદમાં ગાળતાં. તેમને માટે ચારેબાજુ સમૃદ્ધ કે પ્રતિદિત થવાની અસંખ્ય તકે મોજૂદ હતી; એટલે થોડા ઘણા અન્યાય કે દુઃખને બદલે મૂળ કરતાં કેટલાય ગણો વળી રહે. પરંતુ અંગ્રેજોનું રાજ્ય થતાં જ તેમણે પ્રજા પાસેથી મહેસૂલ તરીકે વધારેમાં વધારે પૈસા પડાવવાના શરૂ કર્યો અને છતાં તેમાંથી એક પાઈ પણ દેશના લોકોને કોઈ પણ રૂપે પાછી મળવાને બદલે તે બધા હંમેશને માટે પરદેશ તણાઈ જવા લાગ્યા. મિ. લોરેન્સ કે જે પછી વાઈસરેય બન્યો હતો, તેણે સંયુક્ત પ્રાંતને આપેલે દાખલે અહીં ટાંકવા જેવો છે. તે ઉપરથી અંગ્રેજોએ ખેડૂતો પાસેથી કેવું ચૂસી ચૂસીને મહેસૂલ ઉઘરાવવા માંડયું હતું, તેનો સ્પષ્ટ ખ્યાલ વાચકને આવી શકશે : “ગુરગાંવ જિલ્લામાં ૧૮૭૭માં ૭ લાખની વસ્તી હતી. છેક ૧૮૩૭થી માંડીને દર વર્ષે ત્યાંથી લોકોનું લેહી ચુસાઈ જાય તેવી રીતે મહેસૂલ ઉઘરાવવામાં આવ્યું છે. છતાં, ૧૮૭૭માં ત્યાંની મહેસૂલે વળી વધારવામાં આવી. તે વર્ષે બિલકુલ વરસાદ ન આવ્ય, પાક પાયે નહિ, છતાં સરકારે તે મહેસૂલે પૂરેપૂરું ઉઘરાવ્યું છે. પરિણામે પાંચ વર્ષને અંતે માલૂમ પડયું કે, ૮૦,૦૦૦ માણસે અને દોઢ વીસમી સદીની શરૂઆતમાં લાખ ઢોર ભૂખમરે અને તંગીને કારણે નાશ પામ્યાં હતાં. ઉપરાંત સરકારનું મહેસૂલ ભરવા જતાં આખા જિલ્લાને ૨૦ લાખ રૂપિયાનું દેવું કરવું પડયું હતું.” આટલું ચૂસી ચૂસીને ઉઘરાવેલું મહેસૂલ પણ જે દેશમાં જ રહેતું હોત, અથવા તે તેના વડે દેશના જ લોકોને તથા દેશના જ વેપારઉદ્યોગોને ઉત્તેજન મળતું હોત, તે કશે જ વાંધો ન હતો. પરંતુ એ આખા સૈકા દરમ્યાન એક પણ હિંદીને સુપ્રીમ, પ્રેસિડસી, પ્રાંતિક, કારોબારી કે હિંદી વજીરની કાઉન્સિલમાં એક પણ બેઠક આપવામાં આવી ન હતી. અંગ્રેજોના તાબાના ૧૫ કરોડ માણસમાંથી તે જગાઓને યોગ્ય એક પણ હિંદી તેટલાં વર્ષોમાં ઉત્પન્ન ન હતે, એ વાત ન માની શકાય તેવી છે. અને નવાઈની વાત તો એ છે કે, તેમના જ રાજ્યની અડોઅડ આવેલાં દેશી રાજ્યમાં રેસિડંટની અસહ્ય બાધાઓ હેવા છતાં, યુરોપ અમેરિકાના મોટા મોટા રાજનીતિની સાથે સરખામણી કરી શકે તેવા કેટલાય ઉત્તમોત્તમ રાજપુરુષો ઉત્પન્ન થયા હતા. તેમાં પણ ધ્યાનમાં રાખવાનું એ છે કે, સર સલારજંગ, સર માધવરાવ, સર દિનકરરાવ, સર કે. શેષાદ્રિ આયર જેવા બીજા કેટલાય હિંદી રાજપુરુષો અંગ્રેજોના રાજ્યમાં તે તાબાના હોદ્દાઓ ઉપર જ હતા અને છેક સુધી જે તેઓ અંગ્રેજોના રાજ્યમાં જ રહ્યા હોત, તે આખી જિંદગી સુધી પણ નાના ડેપ્યુટી કલેકટર કરતાં જરાય ઊંચી પદવીએ પહોંચી શક્યા ન હોત, તે જ લોકોને દેશી રાજ્યોમાં તક મળતાં, તેઓ વડા પ્રધાન સુધીની મોટી મેટી પદવી પ્રાપ્ત કરી શક્યા, એટલું જ નહિ પણ For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy