SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! પાસે જિંદગીની જરૂરિયાતે ખરીદવા જેટલી પણું સંપત્તિ રહી નથી. આપણને તેના પુરાવા પણ પૂરતા પ્રમાણમાં મળે છે. ૧૮૮૦ની સાલમાં સર. વી. હન્ટરે લખ્યું હતું કે : * ચાર કરોડ ભાણસને દેશમાં પિટભરીને ખાવા મળતું નથી.” ૧૮૯૩માં ગયા જિલ્લાની, મિગિયરસને ભેગી કરેલી હકીકતેને સાર આપતાં “ પાયોનિયર ” પત્ર લખે છે : ટૂંકામાં, મજૂરી કરનારા વર્ગના તે બધા જ લેકે, અને ખેડૂતે તથા કારીગરોની વસ્તીને ૧૦ ટકા જેટલો ભાગ – એટલે કે કુલ વસ્તીને ૪૫ ટકા જેટલો ભાગ પૂરતાં કપડાં કે પેટ ભરીને અન્ન વિનાને રહે છે. આ પ્રમાણે માત્ર ગયા જિલ્લામાં જ ૧૦ લાખ ભાણસે જીવનનિર્વાહ કરવા જોઈતાં સાધને વિનાના છે. હવે ગયા જિલ્લે તે હિંદુસ્તાનના બીજા જિલ્લામાં જેટલું અથવા તેમનાથી પણુ વધારે ફળદ્રુપ અને સમૃદ્ધ માનવાને ઘણાં કારણે છે. એટલે તેને દાખલો અપવાદરૂપ તે ન જ ગણુ જોઈએ. તે પછી તેના જ હિસાબે આખા દેશની કલ્પના કરીએ, તે એમ સિદ્ધ થાય કે અંગ્રેજોના તાબાના હિંદુસ્તાનમાં જ ૧૦ કરોડ જેટલા માણસે ભયંકર ગરીબાઈમાં રહે છે.” એટલે કે, વીસમી સદીની શરૂઆત સાથે જ, હિંદુસ્તાનના અંગ્રેજી રાજ્યના કટ્ટર પક્ષકાર અંગ્રેજી પત્ર “ પાયોનિયર’ના જ શબ્દોમાં – “૧૦ કરોડ લેકે ગરીબાઈની છેવટની હદે પોતાનું આયુષ્યને બાકીના દિવસે વિતાવી રહ્યા છે.” વીસમી સદીની શરૂઆતમાં ૫૩ છેલ્લાં પંદર વર્ષથી ચડી ગયેલા ભાવને કારણે દેશમાં ચાલુ દુકાળ જ રહ્યા કર્યો છે. એટલે, આજે ૧૯૦૧ની સાલમાં લોકોની ખરી ગરીબાઈ અને દુઃખનું વર્ણન જ થઈ શકે તેમ રહ્યું નથી. દેશના ઉદ્યોગે દેશના તમામ ઉદ્યોગને નિર્દય રીતે કચરી નાખવામાં આવ્યા છે. ૧૯મી સદીની શરૂઆતનાં વર્ષોમાં તે ‘ઇલંડના ઉદ્યોગના વિકાસ માટે હિંદુસ્તાનના ઉદ્યોગને જાણી જોઈને કચરી નાખવા જોઈએ’ એ વસ્તુસ્થિતિને છુપાવવાને પણ પ્રયત્ન કરવામાં આવતું ન હતું. એક જ ઉદ્યોગને ઇતિહાસ અહીં બસ થશે. ૧૦૦ વર્ષ પહેલાં હિંદુસ્તાનમાં સાગનાં એવાં સરસ વહાણ બનતાં, કે ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ પિતાનાં વહાણો હિંદુસ્તાનમાંથી જ ખરીદતી. ૧૮૦૦માં તે વખતના ગવર્નર જનરલે જ લખ્યું હતું કે : “ઈંગ્લેંડ માલ લઈ જવા માટે એકલા કલકત્તાના બંદરમાં જ પડેલાં ૧૦,૦૦૦ ટન વજનનાં વહાણે હિંદુસ્તાનમાં જ બનેલાં છે.” લેફટનંટ કર્નલ વેકરે ૧૮૧૧માં જણાવ્યું છે કે, “હિંદુસ્તાનનાં સાગનાં બનેલાં વહાણ ૫૦ વર્ષ કરતાં વધુ પહોંચે છે, જ્યારે ઈંગ્લેંડનાં એકનાં બનેલાં વહાણ બાર બાર વર્ષે બદલવાં પડે છે. યુરોપમાં બનેલુ વહાણ હિંદુસ્તાન સુધીની છ મુસાફરી કર્યા બાદ નકામું થઈ જાય છે; જ્યારે “સર એડવર્ડ હ્યુ” નામનું હિંદુસ્તાનમાં બનેલું વહાણ ૮ વખત મુસાફરી કરી આવ્યા બાદ પણ એવી સારી સ્થિતિમાં For Private & Personale Only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy