SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! એક જ વસ્તુ સૂચવ્યા કરે છે કે, હિંદુસ્તાન હવે ભારે પડવાની અણી ઉપર આવી ગયું છે. ૧૯૦૦ ને ૧૯૦૧ જેવાં ખરાબમાં ખરાબ દુકાળનાં વર્ષમાં પણ અનાજ તે દેશના લોકોને જોઈએ તેટલું પૂરતું પાડ્યું હતું; પરં; કે પાસે તે અનાજ ખરીદી પિતાની જાતને જીવતી રાખવા માટે, કે પિતાનાં કુટુંબ, ઘર અને માલમિલકત ના પામતાં અટકાવવાને માટે એક પાઈ પણ હતી નહિ. દેશના મોટા ભાગને પેટ પૂરતું ખાવાનું નથી મળતું છતાં દેશમાંથી દર વર્ષે લાખ ટને અનાજ પ્રદેશ ઘસડી જવામાં આવે છે. એથી કેટલાક લોકોના મનમાં એવે બ્રમ ઉત્પન્ન થાય છે કે, હિંદુસ્તાનમાં લોકોને જોઈ એ તે કરતાં વધારે અનાજ પાકે છે એટલે તે અનાજનો વેપાર કરી તે દર વર્ષે વધુ તવંગર થાય છે. પરંતુ ખરી વાત તે નથી. સામાન્ય નીરોગી માણસને, સ્ત્રીને અને બાળકને જેટલું અનાજ રોજ ખાવા જોઈએ, તે હિસાબે દેશનાં કુલ સ્ત્રીપુરુષ અને બાળકોને દર વર્ષે કેટલા ટન અનાજ જોઈ એ તેની ગણતરી કરતાં માલૂમ પડે છે કે – “હિંદુસ્તાનમાં પાકતા અનાજમાંથી હિંદુસ્તાનના દરેક માણસને પેટપૂરતું ખાવાનું આપવામાં આવે, તે દેશનો પણ ભાગ વર્ષમાં ત્રણ મહિના અર્ધી ભૂખ્યા રહે; અને કેટલાય લાખને તે જરા પણ ખાવાનું ન મળે. અને છતાં દર વર્ષે હિંદુસ્તાનમાંથી ઢગલાબંધ અનાજ પરદેશ ચડાવવામાં આવે છે. એને અર્થ એ થયો કે, ઉપર જણાવેલી સંખ્યા કરતાં પણ વધારે મેટી સંખ્યા વધારે પ્રમાણમાં હંમેશાં વીસમી સદીની શરૂઆતમાં ભૂખી રહે છે.” * દેશમાંથી અનાજ પરદેશ ચડે છે તેનું કારણ, દેશમાં જોઈએ તે કરતાં વધારે અનાજ છે તે નથી. પરંતુ પરદેશીએ તે અનાજના જે ભાવો આપે છે, તે ભાવે, દેશના ગરીબ લોકો પાસે પેટ પૂરતું અનાજ ખરીદવા પૈસા જ નથી. એટલે કે હિંદુસ્તાન બમણો માર ખાય છે. પરદેશીઓ હિંદુસ્તાનને લૂંટી લૂંટીને વધુ પૈસાદાર થાય છે એટલે અનાજ મોંઘામાં મેઘા ભાવે પણ ખરીદી શકે છે. જ્યારે, હિંદુસ્તાન એટલું ગરીબ બનતું જાય છે કે, દેશમાં પેદા થયેલું અનાજ ખરીદવા જેટલા પણ પૈસા લોકે પાસે રહ્યા નથી. અનાજને છેલ્લે દાણ વેચીને પણ જે પૈસા ખેડૂતને હાથમાં આવે છે, તે સરકારના ભારે મહેસૂલમાં, અને પરદેશી વસ્તુઓ ખરીદવામાં ઘસડાઈ જાય છે. લોકોની ગરીબાઈ ઉપરની હકીકત ખરી હોય તો એનો અર્થ એટલો જ થયો કે, અંગ્રેજી રાજ્યનાં છેલ્લાં સો વર્ષને અંતે લોકે * દેશમાં સામાન્ય રીતે દર વરસે સરેરાશ ૮ કરોડ ટન અનાજ પાકે છે. તેમાંથી પરદેશ જ માલ, બી, બગાડ વગેરેને ભાગ બાદ કરતાં ૫ કરોડ ટન દેશમાં ખાવા માટે બાકી રહે છે. સરકારની જેલમાં જે ધરણે ખેરાક અપાય છે, તે ધોરણે ગણતાં પણ દેશની વસ્તીને ખાવા માટે ઓછામાં ઓછું ૮ કરોડ ટન અનાજ જોઈ એ. એટલે અત્યંત આવશયક પ્રમાણમાં પણ ૪૦ ટકા અનાજની દેશમાં તૂટ રહે છે. સુખી લેકે અને પૈસાદાર જેલને ધોરણે આહારાદિ નથી જ કરતા, એને ખ્યાલ રાખીએ તો આ સ્થિતિમાં અનાજ પરદેશ ચડવા દેવું એ વાજબી છે કે નહિ તે સમજી શકાશે. Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy