SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીની શરૂઆતમાં દેશની સંપત્તિ અંગ્રેજો પહેલાં બીજા પણ કેટલાય તાતંર, મેગલ, મુસલમાન વગેરે પરદેશી લોકોનાં ધાડાં હિંદુસ્તાન ઉપર ચડી આવ્યાં હતાં. પણ થોડાક અપવાદ બાદ કરતાં તે બધા પછીથી હિંદુસ્તાનમાં જ ઘર કરીને રહેલા હોવાથી પ્રજા પાસેથી લૂંટેલી બધી દોલત છેવટે તો દેશમાં જ રહેતી; તથા અમલદારોના પગાર, તથા રાજા અને અમીરના વિલાસ વગેરે ભારફતે દેશના લોકોને જ પાછી મળતી. પરંતુ અંગ્રેજોના આવ્યા બાદ તે બધી ધનસંપત્તિ દેશમાંથી સદાને માટે ઈંગ્લંડ ઘસડાઈ જવા લાગી. પરિણામે સે વર્ષની અંદર તે તે એક વારને સમૃદ્ધ દેશ ચુસાઈને એવો તે નિર્ધન બની ગયો છે કે, તેની ગરીબાઈ દુનિયાના બીજા કેઈ સુધરેલા દેશ સાથે સરખાવાય તેવી રહી નથી. ૧૯૦૦ના દુકાળ વખતે તે કેટલાંય સૈકા પહેલાંના જૂના સિક્કાઓ બજારમાં વીસમી સદીની શરૂઆતમાં સંખ્યાબંધ આવવા લાગ્યા અને તેમાંના ઘણાખરા લંડનન સંગ્રહસ્થાન માટે લઈ જવામાં આવ્યા. તે ઉપરથી લોકેશન ધનસંચયને છેવટનો છેડો આવી ગયો છે તે વસ્તુ સ્પષ્ટ સિદ્ધ થઈ શકશે. અંગ્રેજોએ હિંદુસ્તાનમાંથી ઘસડી જવા માંડેલી ધનસંપત્તિનો ધેધ કેટલો મોટો હતો, તેને અંદાજ કાઢનારાઓમ મેન્ટગોમરી માર્ટિન મુખ્ય સ્થાન ભોગવે છે. તે કહે છે દર વર્ષે ૪૫૦,૦૦,૦૦૦ રૂપિયાને હિસાબે, તથા ૧૨ ટકાન વ્યાજ દરે છેલ્લાં ત્રીસ વર્ષમાં અંગ્રેજો હિંદુસ્તાનમાંથી ૧૦,૮૫,૮૫,૦૦,૦૦૦ એટલે કે ૧૦ અબજ, ૮૫ કરેડ રૂપિય જેટલી રકમ ઘસડી ગયા છે. અને તે દિવસથી હજુ એક મિનિટ પણ તે ધોધ વહેતો અટક્યો નથી. ઊલટો દર વર્ષે તે વધુ ને વધતે જ ચાલ્યો છે. ૧૯ મી સદીના છેલ્લા દશકામાં તો તે ધોધ કાબૂમાં પણ ન રહે તેવો મટે થઈ ગયો છે. પરિણામે આખા હિંદુસ્તાનના અર્ધ ઉપરાંતના ખેડૂતો કદી છૂટી ન શકાય તેવા દેવામાં સપડાઈ ગયા છે.' છેલ્લાં ત્રીસ વર્ષ દરમ્યાન તે ધોધ દર વર્ષે ઓછામાં ઓછો ૪૫ કરોડને તે હતો જ. એટલે કે, તે ત્રીસ વર્ષમાં જ વ્યાજ બાદ કરતાં પણ ૧૩૫,૦૦,૦૦૦,૦૦૦ એટલે કે ૧૩ અબજ રૂપિયા ઈગ્લેંડમાં ઘસડી જવામાં આવ્યા છે. પરિણામે વારંવાર પડથા કરતા ભયંકર દુકાળ ૧. મુંબઈ ઇલાકામાં તે, મૅકડેનેલ કમિશનના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ખેડૂતોને ૪ ભાગ દેવામાં સપડાયા છે. Jain Education International For Private & Personale Only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy