SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * આબાદ હિંદુસ્તાન ! એક વૈદ્યકીય છાપામાં પ્રગટ થાય છે ત્યારે તેના તંત્રીને આશ્ચર્ય કે દિલગીરીના એક શબ્દ પણ એ ભીષણ અને રામાંચક વસ્તુસ્થિતિ ઉપર લખવા જરૂરી લાગતા નથી. જોકે, ઉપર જણાવેલી સંખ્યાના ૨૦મા ભાગ પણ તેના પોતાના દેશમાં તે કારણે મરી જાય, તે મેટા બળવા જ જાગી ઊઠે. આખી દુનિયામાં કયાંય જોવા ન મળે તેવાં દુ:ખ અને ક્લેશ દેશમાં ચારે બાજુ વ્યાપી રહ્યાં છે છતાં હેમિલ્ટન જેવા હિંદી વજીર અને લેાર્ડ કર્ઝન જેવા વાઇસરૉયને તે! મૈકાલેના જ શબ્દો કાનમાં ગૂંજ્યા કરતા હાય છે કે, “ તે હિંદુસ્તાનની પ્રજાના હિતને માટે ચિંતાતુર હૃદયે સદૈવ તત્પર રહેલા છે, અને... તે પ્રત્યે તેમનામાં વાત્સલ્યની લાગણી ઊભરાઈ જાય છે. આ બધું કેમ બને છે? આવી ભયંકર અને દારુણ્ વસ્તુસ્થિતિ જોવા અને જાણવા છતાં પણ આપણા હૃદયમાં કેમ જરાય લાગણી થતી નથી ? મઁકાલેએ જે ઉદાર લાગણીઓ કહી બતાવી હતી, તેવી ઉત્તમ લાગણીઓ વડે હવે પહેલાંની પેઠે અંગ્રેજોનાં હ્રદયે ક્રમ ઊછળતાં પ્રશ્ન નથી ? તેનું કારણ એક જ છે, અને તેને અર્નિયરના શબ્દોમાં કહીએ તે! — એક વિલાયતી પુસ્તાએ આપણી અધી નૈતિક તેમજ માનસિક લાગણીઓ અને ભાવનાઓને બહેરી કરી નાખી છે. બીજી બધી રીતે આપણે સચેત છીએ. માત્ર આપણી સ્વમાન અને સદાચારની લાગણીઓ જડ થઈ ગઈ છે. ખદલામાં આપણી બધી હીન વૃત્તિએ વધુ વેગવંત બની છે. તે પુસ્તા કર્યું છે? ~ આપણા માલ Jain Education International અંગ્રેજી રાજ્યના મૂળમાં ખપાવવા પરદેશમાં બજારાની જરૂર, તથા હિંદીઓને એક વાર ઊંચા ઊંચા હેાદ્દાઓ આપવાના શરૂ કરીશું તે થોડા જ વખતમાં તેમને વધારે ને વધારે પ્રમાણમાં સ્વરાજ્ય આપ્યા વિના નહિ ચાલે એવી આપણા હ્રદયમાં ઊંડે ઊંડે સદૈવ કાયમ રહેતી બીક, આ વસ્તુએએ આપણને આટલા લાગણીહીન અને અધમ અનાવ્યા છે. તેની આગળ આપણી કાઈ પણ ઉચ્ચ ભાવના મારુષિક લાગણી ટકી શકતી નથી. હિંદુસ્તાન આપણે તાબે રહેવું જેઈ એ ! હિંદુસ્તાન આપણું ગ્રાહક રહેવું જોઈએ ! એ બે વસ્તુની આડે આવે તેવું એક પણ પગલું આપણે ભરવા માગતા નથી — પછી ભલે તેને લીધે કરાડાની વસ્તીવાળા આખા દેશમાં ભૂખમરા, કગાલિયત અને વિનાશનું સામ્રાજ્ય ફેલાઈ રહે. આપણે હિંદુસ્તાનને આપણા સામ્રાજ્યના એક ભાગ ગણવાને બદલે ઇંગ્લેંડની દૂઝણી ગાય ગણવાને એટલા ટેવાઈ ગયા છીએ, કે અત્યારની ચાલુ વસ્તુસ્થિતિમાં સહેજ પણ ફેરફાર કરાવનારી કે વિદ્મ લાવનારી કાઈ પણ વસ્તુ આપણું મન હવે સ્વીકારી શકે તેમ નથી. ૪૧ અને તે કારણે જ હિંદુસ્તાન વિષે કશી જ સાચી હકીકત પણ આપણે જાણવા માગતા નથી. જો કાઈ તેવી કડવી વાતો આપણી આંખ આગળ લાવવાની હિંમત કરે છે, તે આપણે તેને જૂઠે। અને દેશદ્રોહી ગણી કાઢીએ છીએ. અને તેમ છતાં જે કાઈ વસ્તુએ આપણા ધ્યાન આગળ આવી જ પડે, તો પણ એમ જ માનીએ છીએ કે કાં તે (૧) તે વાતેા જ હુઠ્ઠી છે, (૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy