SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજી રાજ્યના મૂળમાં ટલે માગે છે, ત્યારે આપણે પથરા આપીએ છીએ.” ઉપર ટાંકેલું વાક્ય, ૧૮ સૈકા પહેલાં ઈસુ ખ્રિસ્ત પહેલી વાર ઉચ્ચાર્યું હતું. અત્યાર સુધી બધા તેમાં જણાવેલી વાતને અસંભવિત માનતા હતા. પણ અંગ્રેજોના રાજ્યમાં તે સંભવિત બન્યું છે. લોકોને સાચે જ ખાવા માટે પથરા મળે છે. એક બ્રિટિશ કર્નલ કે જે હિંદુસ્તાનમાં દુકાળસંકટનિવારણના કામમાં રોકાયા હતા, તેણે જાતે જોયેલી વસ્તુ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં નીચે પ્રમાણે લખી જણાવી છે. તે ઉપરથી વાચકને તે વિષેની ખાતરી થશે. તે કહે છે કે : “લોકોને જે કાંઈ થોડે ઘણે લોટ કે અનાજ મળે છે, તેમાં તેઓ અમુક જાતના પથ્થરને આટો મેળવે છે; જેથી લોટનું પ્રમાણ વધે – અને પેટ જરા વધુ ભરાય. આ પથર પિટમાં જવાથી અંદરના અવયવોને ભયંકર નુકસાન થાય છે, અને કઈ કઈ વાર તો તેથી મત પણ નીપજે છે.” રોટલી માગે ત્યારે પથરા મળે છે ! મિ . તેના કરે આબાદ હિંદુસ્તાન! અથવા તે તે વાત આપણને ગમે તેવી ભયંકર લાગતી હોય તે પણ હિંદુસ્તાન વગેરે પૂર્વના દેશોમાં તે તે સ્વાભાવિક જેવી જ છે, એટલે તે માટે કાંઈ ખાસ ફિકર કરવાની જરૂર નથી, (૩) અથવા તે ઈશ્વરને માનીતા અંગ્રેજ લોકોને હાથે જે થાય તે કદી અગ્ય થાય જ નહિ. એટલે, ગમે તેવી વાત કહેવામાં આવે તે પણ અંગ્રેજોના રાજયમાં દિવસે દિવસે હિંદુસ્તાન સુખી જ થતું જાય છે. | ગમે તેમ પણ, એક વાત તે નક્કી જ છે કે, હિંદુસ્તાન અત્યારે છે તેમ આપણી દૂઝણી ગાય જ રહેવું જોઈએ. તેના સિવાય આપણને કઈ રીતે ચાલે તેમ નથી. એ કારણે જ આપણે જરૂર પડયે મેટાં મેટાં વચને. આપીને બીજે જ દિવસે તેમને બેશરમ થઈને તેડી નાખીએ છીએ. તેને કારણે જ જ્યારે હિંદી પ્રજા આપણી પાસે - ૧, લડ લીટને હિંદી વજીરને મોકલેલા “ડિપેચ'માં લખ્યું છે: “૧૮૩૩માં દેશીઓને સર્વ પ્રકારની નોકરીઓમાં કાંઈ પણ ભેદ રાખ્યા વિના દાખલ કરવાનો પાર્લમેંટને કાયદો પસાર થયે, કે તરત જ અહીંની તેમજ ત્યાંની સરકારે તેને અમલમાં મુકો ન પડે તે માટે ઉપાયો યોજવા માંડયા. . . . આપણે કાં તો દેશીઓને કરીમાં દાખલ થવાની જ મના કરવી જોઈ એ, કે કાયદે કર્યા છતાં તેમને છેતરીને નોકરી ન આપવી જોઈ એ. આપણે છેલ્લે અપ્રમાણિક રસ્તે જ લી. મને એમ કહેતાં જરાય આંચકે નથી લાગતું કે- ઇંગ્લંડની તેમજ હિંદુસ્તાનની એમ બંને સરકારોએ, જે વચન માંહેથી ઉચ્ચાર્યા હતાં, તેમને હૃદયથી ભાગવા માટે તેમણે બની શકે તેટલા ઉપાયે લીધા છે એવું આળ તેમના ઉપર મૂકવામાં આવે, તો તેઓ તેને જરાય સંતોષકારક જવાબ આપી શકે તેમ નથી.' માટે શરમ પરિશિષ્ટ ૧૮૩૧માં લેવાયેલી જુબાનીમાંથી કેટલાક ઉતારા જૉન સલીવાન –કેઈબતુરના કલેકટરની જુબાની : ૪૭૭૨. જેટલો વિશ્વાસ તમે તમારા દેશભાઈ અંગ્રેજોમાં મૂકે, તેટલો જ વિશ્વાસ તમે હિંદુસ્તાનના દેશાઓમાં પણ મૂકવા તૈયાર થશે ? –હા. જે તેમના પ્રત્યે તેટલી જ ઉત્તમ રીતે વર્તવામાં આવતું હોય તે. Jain Education International For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy