SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આબાદ હિંદુસ્તાન! જુલમ હેઠળ કચરાતી પ્રજા પ્રત્યેના, રાજા તરીકેના આપણું બધા ધર્મ ઉપર પાણી ફેરવીને તેને આપણી ગુલામ રાખી મૂકીએ, તે પછી તે સત્તાની કિંમત જ શી છે ? તેમજ જે આપણે મનુષ્ય જાતિના કેઈ પણ ભાગના કેને આપણુ જેટલી સ્વતંત્રતા અને સુધારે આપવા ન માગીએ, તો પછી આપણી પિતાની સ્વતંત્રતા અને સુધારાની પણ શી કિંમત છે ? “હિંદુસ્તાનના લેકે આપણુ તાબેદાર રહે માટે તેમને આપણે અજ્ઞાનમાં ડૂબેલા રાખવી છે ? અથવા તે તેમનામાં જ્ઞાનને પ્રચાર કરીએ પરંતુ તેમનામાં કશી જ મહત્ત્વાકાંક્ષા ઊભી ન થાય એમ આપણે ઈચ્છીએ છીએ? અથવા તેમનામાં મહત્ત્વાકાંક્ષા ઊભી થવા દેવી પરંતુ તેને સિદ્ધ થવાનો એક પણું માર્ગ ઉધાડા ન રહેવા દે, એવો આપણા ઇરાદે છે? આ પ્રશ્નોમાંથી એકને પણ જવાબ હકારમાં આપવાની કોઈ હિંમત નહિ કરે. છતાં આપણે દેશીઓને બધી જ ઊંચા દરજજાની નેકરીઓમાંથી બાતલ રાખવા માગીએ, તે ઉપરના પ્રશ્નોમાંથી એકાદને પણ જવાબ હકારમાં આપ જ જોઈએ. હું પોતે જરા પણ બીતે નથી; આપણી સામે આપણી ફરજને માર્ગ ખુલ્લો છે, અને તે જ માર્ગ ડહાપણને, આપણી સમૃદ્ધિને તથા વમાનને પણ છે. . . . એમ પણ બને કે આપણું રાજ્ય હેઠળ હિંદુસ્તાનના લોકોનાં મન એટલાં તે વિકાસ પામે કે પછી તે આપણા રાજ્ય હેઠળ રહેવા જ ન માગે. આપણું ઉત્તમ રાજ્ય વડે ત્યાંના લોકોમાં તેનાથી પણ વધારે સારું અંગ્રેજી રાજ્યના મૂળમાં ૩૯ રાજ્ય જાતે કરવાની શક્તિ ઉત્પન્ન થાય, અથવા તે યુરોપનું જ્ઞાન મેળવીને ભવિષ્યમાં ત્યાંના જેવું રાજ્યબંધારણ અને સંસ્થાએ પણ તેઓ ભાગે. એ દિવસ કદી આવશે કે નહિ તે હું જાણતો નથી. પરંતુ તે દિવસ કદી આવતા હશે, તે હું તેને રોકવાને કે ઉલટાવવાને પ્રયત્ન જરાય નહિ કરું. તે દિવસ ગમે ત્યારે આવે, પણ તે દિવસ જરૂર ઈગ્લેંડને ઇતિહાસને વધારેમાં વધારે મગરૂર થવા લાયક દિવસ હશે.” આવા આવા ડહાપણું અને હિંમત ભરેલા મેટા મેટા શબ્દમાં આ રસ્તે સ્પષ્ટ લીટીઓમાં આંકી લીધા બાદ, ૭૦ વર્ષ પછી પણ તે દિશામાં આપણે એક પણ ડગલું ભર્યું નથી, અને પરિણામે હિંદુસ્તાનના લોકેા હતા તેથી પણ હવે વધારે ગરીબ બન્યા છે. આ ૧૯૦૦ની સાલમાં જ એક જિલ્લાના મહેસૂલના ૮૫ ટકા ભાગ, ખેડૂતો પિતે ભરી શકે તેમ ન હોવાથી, તેમને પૈસા ધીરનાર શાહુકારોએ જ બારોબાર સરકારી તિજોરીમાં ભર્યો છે. તથા ઈગ્લેંડના અગ્રગણ્ય વૈદકીય પત્ર ‘સેન્સેટ' મુંબઈના એક ખબરપત્રી મારફતે અંદાજ કાઢવો છે કે, ૧૯મા સૈકાના છેલ્લા દશકામાં બ્રિટિશ હિંદુસ્તાનની પ્રજાનાં ૨ કરોડ માણસે ભૂખથી, અને ૧૦ લાખ માણસે પ્લેગથી નાશ પામ્યાં છે. પરંતુ મેંન્નેના ઉપલા ભાષણ પછીનાં ૭૦ વર્ષો દરમ્યાન આપણે એટલા તે નીચે પડી ગયા છીએ કે, આવી કમકમાટી ઉપજાવે તેવી વિગતે પણ આપણને જરાય અસર કરી શકતી નથી. લાગલગટ ૧૦ વર્ષ સુધી દર વર્ષે ૨૦ લાખ ભાણસે ભૂખે ટળવળતાં મરી જાય, તોપણ, જ્યારે તે વાત મો માંથી જ રહેવા દેવા જિદ એને જવાની કે Jain Education international For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy