SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન! જરૂર રહી જ નહિ. હિંદુસ્તાનને માલ તૈયાર કરનાર દેશ ભટાડી, માલ ખરીદનાર બનાવો જ જોઈએ. અને એ પ્રમાણે, જેને આપણે હિંદુસ્તાનના રાજકારભારના ત્રીજ સિદ્ધાંત તરીકે ઓળખાવ્યા છે, તેના અમલનો સમય આવી પહોંચે. ઈ. સ. ૧૮૩૩ થી ૧૯૦૧ સીદી ગુલામને મુક્ત કરવાની લડતમાં ભાગ લેવાને કારણે દરેક અંગ્રેજના હૃદયમાં ઉદ્ભવેલી આત્મસંતોષની લાગણીને આનંદ હજુ મરી ગયો ન હતો તે વખતે, એટલે કે ૧૮૩૩ની સાલમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સનંદ ફરી ચાલુ કરી આપવાનો ઠરાવ પાર્લમેંટને કરવાને આવ્યું. એટલે ઉપર જણાવેલી લાગણીઓની છેડી છાપ તે વખતનાં પાર્લમેંટનાં ભાષણોમાં પડેલી દેખાય છે. તેની સૌથી છેલ્લી હદ મેંકેલેના શબ્દોમાં આવેલી છે. તે જણાવે છે : હિંદુસ્તાનની સરકાર પ્રજાના હિત માટે ચિંતાતુર હૃદયે સદૈવ તત્પર રહેલી છે. તે જે કાંઈ ભૂલો કરે છે, તેમાં પણ તે તેના હાથમાં સંપાયેલી તે મહાન પ્રજા પ્રત્યેના વાત્સલ્યની લાગણી જ જોઈ શકું છું.” આટલું બસુ ન હતું. તે સચોટ દાખલાઓ અને ભાષાના જવલંત પ્રયોગ સહિત, હિંદુસ્તાનને ઇગ્લેંડ પાસેથી શું શું મળવું જોઈએ તે પણ બતાવતે જાય છે : “ આપણે વસ્તુસ્થિતિનું ગમે તેટલી સ્વાર્થી દષ્ટિએ નિરૂપણ કરવા માગીએ, તે પણું એટલું તે નકકી જ છે કે, અંગ્રેજી રાજ્યના મૂળમાં હિંદુસ્તાનના લકે આપણું પરાધીન ગુલામો રહે તેના કરતાં આપણાથી સ્વતંત્ર થઈ સારી રાજ્યવ્યવસ્થા હેઠળ પિતાનું જીવન ગાળે, એ વધુ સારું છે. તેના ઉપર ભલે તેમના દેશી રાજાઓ રાજ્ય કરે, પણ તેઓ આપણા દેશનાં બનાવેલાં કપડાં વાપરે, તથા આપણાં છરીચપ્પથી પોતાનું કામ કરે, એ વધુ ઈચ્છવા જોગ છે, નહિ કે તેઓ અંગ્રેજ મૅજિસ્ટ્રેટને અને કલેકટરને નમીનમીને સલામ ભર્યા કરે અને આપણે માલ ખરીદ જ ન કરી શકે તેવા ગરીબ રહે. સુધરેલા માણસ સાથે વેપાર કરવો, એ જંગલીઓ ઉપર રાજ્ય કરવા કરતાં વધુ ફાયદાકારક છે. . . . જે લેકે હિંદુસ્તાનના કરોડો લોકે આપણું ગુલામો રહે એટલા માટે તેમને આપણા માલનાં ઘરાક થતાં અટકાવે છે, તેમની અક્કલને ધન્યવાદ જ ઘટે છે : બર્નિયર કહે છે કે, પહેલાંના સમયમાં હિંદુસ્તાનના કેટલાક પૂર રાજાઓ પોતાની પ્રજામાંના કોઈ શક્તિશાળી કે સ્વતંત્રમિજાજી માણસને તેમને ડર લાગે પણ તેને મારી નાખવાનું શક્ય ન હોય ત્યારે, તેને અફીણની એક પુસ્તા નામની બનાવટ રોજ પાતા. તેનાથી થોડા જ મહિનામાં તે કમભાગી માણસની બધી જ માનસિક તેમજ શારીરિક શકિતઓ નાશ પામી જતી. . . . પરંતુ ઈશ્વરે આપણું હાથમાં સોંપેલી એક આખી પ્રજાને તાબે રાખવા, આપણે એ પ્રમાણે, પુસ્તા આપવાનું કબૂલ નહિ જ કરીએ. . . . આપણી સત્તા જે પ્રજાના દુર્ગુણ, અજ્ઞાન અને દુ:ખ ઉપર જ ટકાવી રાખવા માગીએ, તથા એક સુધરેલી પ્રજા કહેવાતા હોઈને, જમાનામાંથી રાજાઓ અને બ્રાહ્મણના Jain Education International For Private & Personale Only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy