SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આબાદ હિંદુસ્તાન! એક બાજુ, આપણે ઉત્તમ શક્તિવાળા દેશીઓને રાજકારભારની એકેએક અગત્યની તેમજ પ્રતિષ્ઠા અને મોટા મેટા લાભવાળી નોકરીઓમાંથી બાતલ રાખીને, કરોડોની વસ્તીવાળા આ દેશમાં, એક સેટી મારવાની શિક્ષા કરવા જેટલી સત્તા પણ યુરોપિયન સિવાય બીજા કોઈ પાસે રહેવા દેતા નથી; અને બીજી બાજુ, જરા પણ અચકાયા વિના અંગ્રેજ સરકાર પ્રજાની માબાપ છે' એવી વાતો કરીએ છીએ. ખરી રીતે આપણે એક આખી પ્રજાને અધોગતિએ પહોંચાડવાની શિક્ષા કરીએ છીએ. તેને બદલે પછી તેને બીજા ગમે તેવા લાભ આપીને પણ વાળી નહિ શકાય, ઈતિહાસમાં કઈ પણ પ્રજાને આવી શરમભરેલી શિક્ષા કરવામાં આવી હોય એવો એક પણ દાખલો નહિ મળી અંગ્રેજી રાજ્યના મૂળમાં ૩૧ વડે ઉત્તમોત્તમ શક્તિઓ ખીલવીને પણ જો તેમને ઉપયોગ દેશસેવા, સમાજસેવા કે દેશના રાજકારભારમાં જુદી જુદી જગાએ થવાને ન હોય, તે પછી તેમને ખીલવવાની લોકોને શી જરૂર ? બીજા દેશમાં લેકેને જ્ઞાન પ્રાપ્ત કરવાનાં કે પિતાની વિવિધ શક્તિઓ ખીલવવાનાં જે પ્રોત્સાહન હોય છે, તે બધાં જે આપણે હિંદુસ્તાનના લોકો પાસેથી ખૂંચવી લઈ એ, તે પછી હિંદીઓ વિજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉત્સુકતાથી પ્રયત્ન કરે, એમ કદી બને ખરું? તેથી ઊલટું જે વસ્તુથી કાંઈ પણ તાત્કાલિક ફાયદો થતે તેમને દેખાશે, તે વસ્તુ માટે જ તેઓ સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવાના અને હિંદુસ્તાનમાં તેમને માટે સરકારી કારકુન કે ગુમા થવા સિવાય બીજું એક પણ દ્વાર આપણે ખુલ્લું ન રાખીએ તો સ્વાભાવિક રીતે તેઓ તે કામ કરવાને લાયક થવા માટે જ વધુ પ્રયત્ન કરવાના. આમ એક મહાન પ્રજામાંથી ઉચ્ચ જ્ઞાન કે સંસ્કારો પ્રાપ્ત કરવા માટેની બધી જ પ્રેરણાને નાશ કરી, તેને માટે કારકુન અને ગુમાસ્તાઓ બનવા જેટલો જ પુરુષાર્થ કે આદર્શ રહેવા દઈ, તેનું સર્વ નાશ કરવા જ આપણે તૈયાર નથી થયા ? “ઈંગ્લંડમાં જ આવતી કાલે એક પરદેશી રાજ્ય થવા દે, ત્યાંના લેકેને રાજકારભારમાં જરા પણ હિસે ન આપે, તેમને બધા પ્રકારની પ્રતિષ્ઠા, ગંભીર જવાબદારી અને મોટા પગારના સર્વ હોદ્દાઓમાંથી બાતલ કરી, તેમનામાંથી તેવી ઉચ્ચ શક્તિઓ, ગુણ અને આદર્શો ખીલવવાની પ્રેરણાને નાશ કરો અને કઈ પણ પ્રકારના શક. આપણે જ્યારે ત્યારે દેશીઓને સુધારવાની મોટી મોટી વાત કરીએ છીએ અને પગલાં તે બિલકુલ ઊંધાં જ લઈ એ છીએ. તમારે દેશીઓમાં વિશ્વાસ મૂકવો નથી, તેમને જરા પણ સત્તા આપવી નથી, તેમને જેમાં ઉત્તમ શક્તિઓની જરૂર પડે અથવા તેમની ખિલવણી થાય તેવી દરેક નોકરીમાંથી બાતલ રાખવા છે; અને પછી નિશાળા અને કોલેજ સ્થાપી, તેમને કેળવણી આપી સુધારવાની વાત કરવી છે. આખી દુનિયામાં કોઈ એ આપણુ જેવું આંધળાપણું બતાવ્યું નહિ હોય. હું એ પૂછું છું કે, કોઈ પણ દેશમાં લેકે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન શા ઈરાદાથી કરે છે ? – સિવાય કે તેને પરિણામે તેમને કીર્તિ, પ્રતિષ્ઠા, સત્તા અને સંપત્તિ મળવાનાં હોય ? કેળવણી For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy