SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! કામ માટે તેમનામાં થોડાક પણ વિશ્વાસ મૂકવા માટે તેમને અયેાગ્ય ઠરાવી દે। ~~~ તા પછી ઇંગ્લેંડને તેનું તમામ સાહિત્ય અને ભૌતિક કે પારમાર્થિક વિજ્ઞાન પણ ~ એક જ પેઢીમાં, નમાલી, નિર્વીય, લુચ્ચી અને અપ્રમાણિક પ્રજાના દેશ અની જતાં નહિં અટકાવી શકે.'' તેવા જ એક દૂરદર્શી અંગ્રેજ બિશપ હારે ૧૮૨૬માં લખી જણાવ્યું છે, “ જે દિવસથી માંડીને હું બંગાળમાંથી બહાર નીકળ્યા છું, ત્યારથી એક જ વસ્તુ મારા મન ઉપર વધારે ને વધારે અસર કરતી ગઈ છે. અને તે એ કે, અત્યારે જે હિસાબે આપણે ખેડૂતા પાસેથી મહેસૂલ પડાવી લઈ એ છીએ, તે હિસાબે કાઈ પણ ખેડૂત કાઈ દિવસ જરા પણ સમૃદ્ધ થઈ શકે નિહ. જમીનની પેદાશના અર્ધાં કરતાં પણ વધારે ભાગ સરકાર મહેસૂલ તરીકે લઈ લે છે. એને કારણે હિંદી ખેડૂત તદ્દન અકૃત્રિમ એવી સસ્તામાં સસ્તી રીતે ખેતી કરતા હાવા છતાં, તથા તેના જીવનવ્યવહારની ટેવે! પણ બહુ જ કરકસરવાળી હેાવા છતાં, તેની પાસે સરકારના વેરે। ભર્યાં બાદ પોતાના પેટ પૂરતું પણ બાકી રહેતું નથી. આનું પરિણામ એ આવે છે કે, ખેડૂત ખેતી કે બીજી કાઈ પણ બાબતમાં જરાય સુધારા કે પ્રગતિ કરી શકતા નથી. સારામાં સારાં વર્ષોમાં પણ તેને ભયંકર કંગાલિયત અને ભૂખમરામાં દિવસે। કાઢવા પડે છે. એટલે, પાક થાડા ઘણા પણ નિષ્ફળ જાય છે કે તરત ગામની શેરીએ અને રસ્તાએ સડતાં મુડદાંઓથી ઊભરાઈ જાય છે. “ એ રીતે જોતાં આપણા કરતાં દેશી રાજ્યેની પ્રજા વધુ સુખી છે. કાઈ પણ દેશી રાજા પેાતાની પ્રજા પાસેથી Jain Education International અગ્રેજી રાજ્યના મૂળમાં આપણા જેટલું આકરું મહેસૂલ ધરાવતા નથી. અંગ્રેજ અમલદારા પોતે જ ખાનગીમાં એ વાત કબૂલ કરે છે કે, લોકા ઉપર હદ ઉપરાંતને કરના મેજો છે, અને ધીમે ધીમે આખા દેશ ભૂખમરાના પંજામાં સપડાતા જાય છે. 33 “મારી ચે।ક્કસ ખાતરી થઈ ગઈ છે કે, સરકારે ખેડૂતો પાસેથી આટલું બધું મહેસૂલ ઉઘરાવવાનું બંધ કરવું જોઈ એ; જે કાંઈ મહેસુલ ઉધરાવવામાં આવે છે, તેને મેટા ભાગ દેશમાં જ વપરાય અને દેશમાં જ રહે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈ એ; તથા આપણું રાજ્ય શાશ્વત તેમજ સુખી કરવા માટે દેશી ક્ષેાકેાને રાજકારભારમાં વધુ હિસ્સા આપવા જોઈ એ અત્યારે જેમ ચાલે છે તેમ વધુ ચાલશે, તે મને નથી લાગતું કે આપણું સામ્રાજ્ય લાંખે। વખત ટકી રહે. “ કાઈ પણ દેશને આટલું બધું મેાટું મહેસૂલ પરદેશીઓને ભરવું પરવડે નહિ. દરેક દેશમાં દેશનું મહેસૂલ એક યા બીજે રસ્તે દેશના જ લેાકાના હાથમાં પાછું જવું જોઈ એ.’ ઉપરના લેખકામાંથી આટલા બધા ઉતારા મેં શા માટે આપ્યા છે. એક જ ઇરાદાથી કે રાજનીતિના જે સિદ્ધાંતા સામે ઉપરના લેખકાએ પાતાના વિરોધ ઉઠાવ્યા છે, તે સિદ્ધાંતે હજી પણ કાયમ જ છે. કાઈ પણ અંગ્રેજ અમલદારને તેમાં હજુ પણ સુધારા કરવાની જરૂર દેખાતી નથી. પાર્લમેટે ૧૮૩૩માં જે કાયદો પસાર કર્યાં, તેમાં તેા નીચેના મીઠા મીઠા શબ્દો વાપર્યાં છે : “ અમારા રાજ્યમાં કાઈ પણ દેશીને...તેના ધર્મને કારણે,......તેના કુળને કારણે, કે તેના રંગને કારણે,...ક’પની ३ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy