SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! નાખવાં જોઈએ. તે બધાં આપણા હિતના કટ્ટર દુશ્મને છે. આપણને હિંદુસ્તાનમાંથી સરદારે, રાજનીતિ અને ધારાશાસ્ત્રીઓ નથી જોઈતા, આપણે તે મજૂરી કરે તેવા ખેડૂતે જ જોઈ એ છે. આપણે જે ચંચળ, દુરાકાંક્ષી અમીર જોઈતા હોય તે એકલા મલબારમાં આખા હિંદુસ્તાનને પૂરા પડે તેટલા છે, તે લોકે આપણે માટે તે ભારરૂપ છે. તેઓ દેશની સંપત્તિ નાહકના ઓહિયાં કરી જાય છે. એટલે હિંદુસ્તાનમાં તે આપણે જમીનને છૂટા છૂટા ખેડૂતેમાં જ વહેંચી દેવી જોઈએ, જેથી તેઓ કદી આપણી સામે થવા ભેગા થઈ જ ન શકે. આપણે મોટા જમીનદારો ઊભા કરવાની રીત સ્વીકારીશું, તે સરકારી મહેસૂલ, પ્રતિષ્ઠા અને સત્તા વડે બળવાન બનેલા આપણા જ વિરોધીઓ આપણે હાથે કરીને ઊભા કરીશું. જમીનમહેસૂલ બારેબાર ખેડૂત પાસેથી ઉઘરાવવામાં એક મોટો ફાયદો એ થશે કે, આપણે પ્રજાના મોટા ભાગ સાથે સીધા સંબંધમાં રહી શકીશું, દેશની માહિતી મેળવવાનું સીધું સાધન આપણા હાથમાં રહેશે, અને તે રીતે દેશની ધનસંપત્તિ ક્યાંથી કેવી રીતે લઈ શકાય તેમ છે, તેનું ચક્કસ જ્ઞાન આપણને મળી શકશે. | ‘એક વસ્તુ હંમેશાં યાદ રાખવી કે આપણે મુખ્ય મુદ્દો હિંદુસ્તાન ઉપર રાજ્ય કરવાનું છે. સારી રીતે રાજ્ય કરવું એ મુદ્દો ગૌણ છે.” ખરે જ ! ઇંગ્લંડમાં મોટા જમીનદારે જોઈએ... જમીનનું મોટું મહેસૂલ તેવાં મેટાં કુટુંબના પિષણ માટે જવું જોઈએ – જેથી તે કુટુંબમાં મેટા મેટા રાજનીતિજ્ઞ, અંગ્રેજી રાજ્યના મૂળમાં તત્ત્વ અને રાજ્યની સેવા તથા રક્ષણ માટે પ્રાણ આપનાર વીર પુરુષે પેદા થાય, પણ હિંદુસ્તાનમાં તે, સ્વતંત્રતા, સ્વાભિમાન, ઊંડા વિચાર અને લાગણીઓ –કે જે બધું વિપુલ ધનસંપત્તિથી પેદા થાય છે, તે બધું કરી નાખવું જોઈ એ ! આપણે હિંદુસ્તાનમાંથી સરદારે, સેનાપતિઓ, રાજનીતિ કે ધારાશાસ્ત્રીઓ નથી જોઈતા; આપણે તે મજૂરી કરનારા ખેડૂતે જ જોઈએ છે. ' સાચે જ ! હિંદુસ્તાનમાં ભાણસે વસતાં હોય, તે પણ તે અંગ્રેજોથી ઘણી જ જુદી જાતનાં હોવાં જોઈએ ! આ જ સિદ્ધાંતે એક પછી એક એમ દરેક વાઈસરોય, દરેક ગવર્નર, દરેક હેકટનંટ ગવર્નર અને દરેક ચીફ કમિશ્નર ભાનતા આવ્યા છે અને અમલમાં મૂકતા આવ્યા છે. ૧૮૦૭માં લખાયેલા આ ફકરા આગળ પાર્લમેંટના મીઠા મીઠા કે ડાહ્યા ડાઘા ઠરાવો પણ કચરાપેટીના કાગળ જેટલી કિંમતના થઈ ગયા છે. પરંતુ તે જમાનામાં પણ કેટલાક ઉદાર હૃદયવાળા અંગ્રેજો મોજૂદ હતા, જેમણે ઉપરના સિદ્ધાંતની દુષ્ટતા અને અદૂરદર્શિતા સચેટ શબ્દોમાં દેખાડી આપી હતી. સર કૅમસ મનરોએ ભારપૂર્વક જણાવ્યું હતું : કેટલાય બુદ્ધિશાળી માણસને મોટેથી હું સાંભળું છું કે હદીઓને બધા મુખ્ય હોદ્દાઓમાંથી બાતલ રાખી, માત્ર અંગ્રેજ અમલદારે વડે જ બધું કામ ચલાવવું જોઈએ. પરંતુ ભારી ખાતરી છે કે, એ દિશામાં ભરાતું દરેક પગલું તે દેશને કોના ચારિત્ર્ય અને ગુણસંપત્તિ ઉપર ખરાબમાં Jain Education international For Private & Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy