SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બની શિલ્પ વગેરે કલાઓ લોકોને શીખવે છે. જેથી લોકો નીતિપ્રમાણિકતાવાળું સદાચારમય જીવન જીવે છે. પ્રથમ તીર્થંકરના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮૫ મહિના પછી ચોથો આરો શરૂ થાય છે. યુગલિકોની ઉત્પત્તિ બંધ થાય છે. અગીઆર ચક્રવર્તીઓ, બળદેવો-વાસુદેવો વગેરે અને બાકી ૨૩ તીર્થંકરો આ આરામાં થાય છે. ચોથા આરાના ૩ વર્ષ અને ૮૫ મહિના બાકી હોય છે ત્યારે ચરમતીર્થપતિ મોક્ષે પધારે છે, પછી ૨૧૦૦૦ વર્ષનો દુઃષમ નામનો પાંચમો આરો બેસે છે. શરૂમાં દેહ -૭ હાથ, આયુ-૧૨૫ વર્ષ, પાંસળીઓ-૧૬, આહાર અનિયત છે. જેમાં મહાવીર ભગવાનનું શાસન ૨૧ હજાર વરસ ચાલવાનું, ચડતીપડતી અનેકવાર થવાની. લોકોમાં મોટા ભાગે કષાયની ઉત્તરોત્તર વૃદ્ધિ, કામ-આસક્તિની વૃદ્ધિ, મદ-અભિમાનથી સંઘર્ષ વધવાના, શહેર ગામડાં જેવાં, ગામડાં સ્મશાન જેવાં, કુલીન સ્ત્રીઓ આચારહીન, સુકુળોત્પન્ન દાસ દાસી થાય, હીનકુલવાળા ધર્મ રસિક અને સાધક બને, રાજાઓ યમ જેવા ક્રૂર, વિનય-મર્યાદાની હાનિ, ગુણવાનની નિંદા, ક્ષુદ્રજંતુઓની ઉત્પત્તિ અધિક, દુકાળ ઘણા પડે, અને લોકો લોભી-લાલચુ બને. હિંસાની વૃદ્ધિ થાય. અનેક મત-મતાંતરો અને મિથ્યામતો ફાલે ફૂલે, દેવતાઓ પ્રત્યક્ષ ન થાય, વિદ્યાનો પ્રભાવ ઘટે, દૂધ-ઘીધાન્ય વનસ્પતિ વગેરે સાર પદાર્થોનું સત્ત્વ ઘટે. આયુષ્ય ઘટતું જાય, પાંખડીઓની પૂજા વધે, સંયમીઓને કષ્ટ પડે. ધર્મી-સુશીલ સરલ સ્વભાવવાળા વિરલ હોય, કપટી-કુશીલ કદાગ્રહી વધતા જાય, ઉત્સૂત્ર પ્રરૂપણા વધે, પરસ્પર મૈત્રીભાવ ઘટે, આમ અનેક નબળી-સબળી પરિસ્થિતિમાં પ્રભુનું શાસનને આરાધક આત્માઓ ઘણાં કષ્ટ વેઠીને ટકાવી રાખવાના છે. પાંચમો આ૨ો પૂર્ણ થતાં ૨૧૦૦૦ વર્ષનો દુઃષમદુઃષમ નામનો છઠ્ઠો આરો બેસે છે. દિવસના સખત તાપ, રાત્રિમાં ભયંકર ઠંડી તથા કિલ્લા-મહેલ-મકાન સર્વત્ર નષ્ટ થયેલા હોઈ વૈતાઢ્ય પર્વતથી ઉત્તર અને દક્ષિણ ગંગા-સિંધુ નદીના સામસામા કિનારા ઉ૫૨ ૩૬-૩૬ એમ ૭૨ બિલો છે, તેમાં મનુષ્યો વસવાટ કરશે. આયુષ્ય ૨૦વર્ષનું. દેહ ૧ હાથનો, પાંસળી ૮, આહારની ઈચ્છા અમર્યાદિત, ખાવા છતાં તૃપ્તિ નહિ. બિલવાસી મનુષ્યો માછલાં વગેરે જલચરોને પકડી રેતીમાં દાટશે. દિવસના પ્રચંડ તાપથી બફાઈ જતાં તેનું રાત્રિમાં ભક્ષણ કરશે. પરસ્પર ક્લેશવાળા, દીન-હીન દુર્બળ, દુર્ગંધી, રોગીષ્ટ, અપવિત્ર, નગ્ન, આચારહીન, માતા-બેન-સ્ત્રી પ્રત્યે વિવેક વગરના, છ વર્ષની સ્ત્રી બાળકને જન્મ આપશે. ભૂંડણની જેમ ઘણાં બાળકોને Jain Education International ૨૬ જન્મ આપી મહાકલેશ અનુભવશે. ધર્મ-પુણ્યરહિત, કેવળ અતિશય દુઃખમાં જ આયુષ્ય પૂર્ણ કરી નરક કે તિર્યંચગતિમાં જશે. છઠ્ઠા આરામાં જન્મ નિવારવા જીવનભર રાત્રિ-ભોજન ત્યાગ તથા માંસાહારનો ત્યાગ અતિ જરૂરી છે. અન્યથા રાત્રિભોજનના અને માંસાહારનાં સંસ્કારો છઠ્ઠા આરામાં જન્મ્યા તો લાંબા કાળની દુ:ખની પરંપરા સર્જી આપશે. ઉત્સર્પિણી-કાળ : ૬ આરા અવસર્પિણી કાળથી ઉલટી ગતિએ ઉત્સર્પિણી કાળ જાણવો. ઉત્સર્પિણી કાળનો ૧ લો આરો દુઃષમદુઃખમ નામનો ૨૧હજાર વર્ષનો છે. તે અવસર્પિણીના ૬ . આરા સમાન જાણવો, ફરક એટલો કે આયુષ્ય-દેહમાન વગેરે સારભૂત પદાર્થોના ગુણની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે, ૨ જો આરો દુ:ખમ નામનો ૨૧ હજા૨ વર્ષનો છે. ભરત ક્ષેત્રમાં પાંચ પ્રકારની વૃષ્ટિ થાય છે. જેથી ધરતીની ઉષ્ણતા દૂર થાય, દુર્ગંધ દૂર થાય, સ્નિગ્ધતા આવે, ૨૪ પ્રકારના ધાન્ય ઉગે અને પૃથ્વી વનસ્પતિ રસ-કસવાળી બને. બીલવાસી લોકો ધીરે ધીરે ફળાદિકનો આહાર કરે છે. આ ખોરાક સારો સ્વાદિષ્ટ લાગવાથી માંસાહારનો ત્યાગ કરે છે. બુદ્ધિ દયાવાળી બને છે અને અવસર્પિણીના પાંચમાં આરા જેવા રીત-રિવાજ થઈ જાય ચાલુ છે. ૩ જો આરો દુઃષમસુષમ નામનો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન એક કોડા કોડી સાગર પ્રમાણ જાણવો. તે અવસર્પિણીના ૪ થા આરા સમાન જાણવો. ૩ વર્ષ અને ૮૫ માસ બાદ પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. એમ ઉત્તરોત્તર ૨૩ તીર્થંકર-૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિ વાસુદેવ પ્રમુખ થાય છે. વર્ણાદિ શુભ પર્યાયોની દિન-દિન વૃદ્ધિ થતી રહે છે. ૪ થો આરો સુષમદુઃષમ નામનો ૨ કોડા કોડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ ૮૫ મહિના પૂર્ણ થતાં ૨૪ માં તીર્થંકર મોક્ષે પધારે છે. ૧૨ માં ચક્રવતી આયુ પૂર્ણ કરે છે. ત્યારબાદ ક્રોડ પૂર્વ કાળ વીત્યે કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવા માંડે છે. તેનાથી મનુષ્ય અને પશુઓની ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યારે તે લોકો બધા કામ ધંધા છોડી દે છે. યુગલીઆ-(પુરુષ-સ્ત્રીના જોડકા) ઉત્પન્ન થવા માંડે છે. બાદર અગ્નિ અને ધર્મનો વિચ્છેદ થાય છે. આમ યુગલિયા અકર્મભૂમિ જેવા બની જાય છે. જે અવસર્પિણીના પ્રારંભના ૩ જા આરા સમાન જાણવા. ૫ મો સુષમ નામનો આરો ત્રણ કોડા કોડી સાગરનો છે. અવસર્પિણીના બીજા આરા સમાન યુગલિકોને જાણવા. વર્ણાદિ શુભ પર્યાયની અનંતગુણી વૃદ્ધિ For Private & Personal Use Only www.jalnelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy