SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૦) કાળ : સમયથી કાળચક્ર અને પુદ્ગલ પરાવર્ત ક કાળ :- નવું-જુનું કરવાની વર્તના એ ગુણ છે. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, સૂર્યોદયકાળ, બાલ્યકાળ, તરુણકાળ વગેરે પર્યાય છે. કઈ વસ્તુ ક્યા વખતે બની, બનશે કે બને છે તેની ઓળખાણ કાળથી થાય છે. જેની સૂક્ષ્મ ગણતરી નીચે મુજબ જાણવી. કાળનું માપ-સૌથી જઘન્ય કાળ ‘સમય’ છે. અત્યંત જીર્ણ વસ્ત્ર ફાડતાં એક તંતુ પછી બીજાને ફાટવામાં એવા અસંખ્ય સમય વીતી જાય છે. અસંખ્ય સમય = ૧ આવલિકા, ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ. ૧૭ા (૧૦/૧૫ ક્ષુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ. (હષ્ટ-પુષ્ટ યુવાનનો પ્રાણ) ૭ પ્રાણ = ૧ સ્તોક. ૭ સ્તોક = ૧ લવ. ૭૭ લવ – ૧ મુહૂર્ત. ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ = ૨ ઘડી = ૩૭૭૩ પ્રાણ = ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ – ૧૬૭, ૭૭, ૨૧૬ (એક કરોડ ૬૭ લાખ સત્યોતેર હજાર બસો ને સોળ) આવલિકા, ૯ સમયથી મુહૂર્ત કાળ પૂરો ન થાય ત્યાં સુધીનું અંતર્મુહૂર્ત કહેવાય. ૩૦ મુહૂર્ત = ૧ દિવસ. (અહોરાત્રિ). ૧૫ દિવસ = ૧ પક્ષ. ૨ પક્ષ = ૧ માસ. ૨ માસ = ૧ ઋતુ, ૩ ઋતુ = ૧ અયન (દક્ષિણાયણ-ઉત્તરાયણ) ૨ અયન = ૧ વર્ષ. ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ (=૭૦૫૬૦ અબજ વર્ષ : ૭૦૫૦ સહસ્ર ક્રોડ વર્ષ) પલ્યોપમ : (ચાલુ આંગળ X ૪૦૦ = પ્રમાણ આંગળ (આવા પ્રમાણ અંગુલથી) માપનો જે ૧ જોજન (= ૪ ગાઉ) લાંબો પહોળો ઊંડો કૂવો, એમાં જન્મે સાત દિવસના યુગલીયાના એકએક વાળના અસંખ્ય ટુકડાથી એવો ખીચોખીચ ભર્યો હોય કે ઉપર થઈને ચક્રવર્તીની આખી સેના ચાલી જાય છતાં બરાબર નક્કર રહે. એમાંથી દર સો વર્ષે એક ટુકડો કાઢતાં સંપૂર્ણ કૂવો ખાલી થવાનો કાળ એ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ છે. જેનાથી આયુષ્યની ગણતરી થાય છે. ૧ પલ્યોપમ = અસંખ્યાત વર્ષ. ૧૦ કોડા કોડી પલ્યોપમ = ૧ સાગરોપમ. (સાગર જેવો મોટો કાલખંડ તેને સાગરોપમ કહેવાય) ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ અવસર્પિણી, ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી, ૧ અવસર્પિણી + ૧ ઉત્સર્પિણી = ૧ કાળચક્ર. અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત. ઘડિયાળના બાર અંકોમાં ૬ પૂર્વદિશામાં અને ૬ પશ્ચિમદિશામાં જે રીતે વિભાગ પડે છે, તે રીતે જ કાળચક્રમાં પૂર્વાર્ધમાં ૬ અને પશ્ચિમાર્ધમાં ૬ વિભાગ પાડીએ તો તેના એક Jain Education International ૨૫ એક વિભાગને આરો એ નામથી ઓળખવામાં આવે છે. જે કાળમાં પ્રત્યેક સમયે શુભ પુદ્ગલોની હાનિ અને અશુભની વૃદ્ધિ થતી હોય તે અવસર્પિણીકાળ કહેવાય છે. તેના ૬ આરા છે. અવસર્પિણી કાળના ૬ આરા ઃ પહેલા સુષમસુષમ નામના ૪ કોડા કોડી સાગરોપમના આરામાં મનુષ્યનું દેહપ્રમાણ ૩ ગાઉ, આયુષ્ય ૩ પલ્યોપમ, શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. મનુષ્યો વજ્રઋષભનારાચસંઘયણ તથા સમચતુરસસંસ્થાનવાળા હોય છે. સ્ત્રીપુરુષના યુગલરૂપે સાથે અવતરે છે. તેમની ઈચ્છાઓ ૧૦પ્રકારના કલ્પવૃક્ષો પૂર્ણ કરે છે. ૩-૩ દિવસ પછી આહારની ઈચ્છા થાય છે. કલ્પવૃક્ષના ફળ એટલા બધા રસકસવાળા હોય છે કે જેથી તુવેરના દાણા જેટલા આહાર માત્રથી સંતોષ થઈ જાય છે. પોતાના આયુષ્યના ૬ મહિના બાકી રહે ત્યારે યુગલિણી એક નર-નારી યુગલનો પ્રસવ કરે છે અને ૪૯ દિવસ સુધી તેમનું પાલન પોષણ કરે છે. પછી નવું યુગલ સ્વાવલમ્બી થઈ સ્વતંત્ર વિચરે છે. તેમના માતા-પિતા એક છીંક આવતાં અને બીજાને બગાસું આવતાં મૃત્યુ પામે છે. અલ્પ વિષય-કષાયના કારણે તેઓ દેવગતિ પામે છે. બીજો આરો સુષમ નામનો ૩ કોડા કોડી સાગરોપમનો છે. દેહ-બુદ્ધિ-બળ-આયુષ્ય-કાંતિ-પૃથ્વી વગેરેના રસકસ વગેરે તથા સાર પદાર્થોના ગુણોમાં ઉત્તરોત્તર હાનિ, દેહ ૨ ગાઉ, આયુષ્ય – ૨ પલ્યોપમ, પાંસળીઓ – ૧૨૮, આહારની ઈચ્છા - ૨ દિવસે, આહાર બોર જેટલો, નર-નારી પાલન ૬૪ દિવસ. ત્રીજો આરો સુષમદુઃષમ નામનો ૨ કોડા કોડી સાગરોપમનો છે, જેમાં સુખ ઘણું અને દુઃખ થોડું હોય છે. દેહ - ૧ ગાઉ, આયુષ્ય = ૧ પલ્યોપમ, પાસળીઓ – ૬૪, આહારની ઈચ્છા એકાંતરે, આહાર આંબળા જેટલો, નર-નારી પાલન ૭૯ દિવસ છે. ચોથો આરો દુઃષમ સુષમ નામનો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં દુ:ખ ઘણું અને સુખ ઓછું. ત્રીજા આરાના જ્યારે ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ ૮ાા માસ બાકી રહે છે. ત્યારે પ્રથમ તીર્થંકરદેવનો જન્મ થાય છે. પડતા કાળના પ્રભાવે કલ્પવૃક્ષોનો મહિમા ધીમે ધીમે નષ્ટ થતો આવે છે. લોકોને ખાવા માટે ધાન્યની ઉત્પત્તિ થાય છે. બાદરઅગ્નિ પ્રગટ થતાં યુગલિકોની વિનંતીથી પ્રથમ તીર્થંકર સાધુ થવા પૂર્વે પ્રથમ રાજા For Private & Personal Use Only www.jalnelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy