SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય-પદ પ૧ અને રાગ-દ્વેષ વિનાની ચિત્તની સ્વસ્થતા બરાબર જળવાઈ રહે એ સમાધિ છે. અહીં સંવરમાં સમાધિ છે; દુનિયાની માનેલી સમાધિ આશ્રવની છે, જે વાસ્તવમાં મોટી અસમાધિ હોય છે. દા.તપાંચ લાખની આશા હતી, ને દશ લાખ મળ્યા! અતિ હરખ થયો કે મન ખૂબ સંતોષ પામ્યું, તે મોટી અસમાધિ થઈ નાનો હરખ તે નાની અસમાધિ છે, મેટે હરખ તે એટી અસમાધિ. આચાર્ય પાસે સંવર રૂપ સમાધિ છે એટલે સંવરના જેટલાં સ્થાન છે, તેમાં ચિત્તાની સ્વસ્થતા-શાંતતા–પ્રસન્નતા છે, કરવાપણું છે. દા. ત. સંવરમાં બાવીશ પરીષહ છે, તેમાં તેમનું ચિત્ત ઠરે, સ્વસ્થ રહે, એટલે કે રાગ, સુધા, તૃષા, અપમાન વગેરેમાં એમને સ્વસ્થતા હોય, જેમ વેપારીને કમાઈનો અવસર મળતાં મગરૂબી અને આનંદ થાય છે, તેમ સાધુને સંવરેને આનંદ છે. સંવર સાધવા મળે ત્યાં “હાશ! થાય, ચૂકાય ત્યાં ખેદ થાય. અલબત વિવેક કરે જોઈએ; જેમકે, કોઈ સ્થળે કઈ સંગપરિસ્થિતિવશ એક સંવર સાધના ચૂકાતી હોય છતાં આર્તધ્યાન-અસમાધિ ન થવી જોઈએ, એ માટે બીજા સંવરને મુખ્ય કરવું જોઈએ. વેપારી એક વેપારની બેટ બીજા વેપારમાં પૂરી કરે છે ને ? ઉદાહરણ : સુરેન્દ્રનગરમાં પં. પદ્મવિજયજી મહારાજ કેન્સરમાં હતા. એકવાર ચૌદસ હતી ત્યારે તેમણે નવકારસી કરેલ પછી હું પાસે જઈ બેઠો ત્યારે મન પર દુ:ખ લાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy