SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ જ્ઞાનપરિષ્કૃત પ્રસરી ગઈ હેાય. હેય વસ્તુના જ્ઞાનની પરિણિત હેય તરફ નફરતવાળી હોય, ને ઉપાદેય વસ્તુના જ્ઞાનની પરિણિત ઉપાદેય પ્રત્યે અહાભાવ, બહુમાન અને આદર્ ઉદ્યમવાળી, આના સ્વાદના અનુભવ આચાય કરે છે. 4 પરભાવે નિ:કાસત્તા ' ૩૮ આચાર્ય પરભાવમાં પભાવ-વિષયમાં નિષ્કામ છે. નિચ્છિ નિરીહ છે, ઈચ્છા વગરના છે. પરભાવ અટલે આત્માથી પર એવા પુદ્ગલના ભાવેા, ને પુદ્ગલના ગુણા, દા.ત. કપડુ પુદ્ગલ છે, તેના ભાવા તે ઉજળામણ, સુવાળાશ...વગેરે. હવે કપડુ ઉજળુ છે તેમાં શુ ખુશી થવાનું? કારણ કે ઉજળા કાનાં છે ? ઉજળાશ એ કપડાંના ભાવ છે. આત્માના નહિ. તેથી તે પરભાવ કહેવાય. એમાં આત્માનું શું સારું વધ્યું ? પર એટલે કાયા, પરભાવ એટલે કાયાના ભાવ. કાયા ના ભાવ એટલે કાયાની લ−પુષ્ટતા. તેવી કાયાની લગ્ટ પુષ્ટતા જોઈને ખુશી થયા તો તે રાયે કાયાના એટલે કે પર્ભાવને! આવ્યા, આચાય આ પરભાવ અંગે નિષ્કામ એટલે કામના વિનાના, આસક્તિ વિનાના, નિરાસક્ત, રાગ--મોહ-મમતાની લાગણી વિનાના છે, દા.ત. કોઇએ પ્રશંસા કરી તે। આચાય વિચારશે,આ પ્રશંસા મારા સ્વ-ભાવ નથી, તે પર- ભાવ છે, લેાકેાના મુખેથી નીકળતા શબ્દે તે પર પુદ્ગલના ભાવ છે, કિન્તુ સ્વના આત્માના ગુણ નથી. આત્મા પર એની કોઈ અસર નથી. તેથી પ્રશંસાના શબ્દથી મારૂ કાંઇ સુધરવાનું નથો એમાં શું રાજી થવું ? તેમ નિદ્રાના શબ્દ પણ પર-ભાવ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy