SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય-પદ ૩૩ - અંબડ ગયે અને એણે “સુલસા તે વળી કેવીક ગુણિયલ કે તીર્થંકર પ્રભુ એને સંદેશે કહેવડાવે છે – એમ વિચારી સુલસાની ધર્મશ્રદ્ધા અને પ્રભુપ્રીતિની વિવિધ પરીક્ષાઓ કરી, એમાં સુલસાની જે નિશ્ચલ સમકિત -પ્રવૃત્તિ જોઈ તેથી ચકિત થઈ ગયે, અને સમજો કે “પ્રભુએ મને સાચા સમ્યકત્વનું દર્શન કરાવ્યું. સુલસ. સમ્યકત્વના ગુણોનું ધામ હતી, આ બતાવે છે કે જે આપણે મુનિ છીએ તો મુનિપણાના સાધુપણાના ગુણોના ધામ બનવું જોઈએ. તે જ સાધુ જીવનને સ્વાદ આવે, સાધુ જીવનમાં મજા આવે. ગુણના ધામ એટલે ગુણ જ ગુણ, હિમાલય બરફનું ધામ છે, તો હિમાલયમાં શું મળે? બરફ, બરફ ને બરફ જ મળે, ત્યાં આગ ન મળે; તેમ મુનિ એટલે ક્ષમાશ્રમણ ક્ષમાને ધામ છે. ત્યાં ક્ષમા જ ક્ષમા જોવા મળે. ત્યાં ફોધાદિ કષાય જેવા ન મળે. આચાર્ય ગુણેના ધામ છે, ગુણેના ભંડાર છે, ગુણેના સંગ્રહાલય છે. કેવા કેવા ગુણ? ૩૬-૩૬ ગુણેની એક છત્રીશી, એવી ૩૬ છત્રીશીના ગુણે આચાર્યમાં હોય, એમાંની એક છત્રીશી પંચિંદિય” સૂત્રમાં છે. એમાં – (૧) એકેએક ઇન્દ્રિયને સંવર એટલે કે પાંચે ઈન્દ્રિય પર ઢાંકણું જેથી એમાં એનો મનગમતો વિષય ન પેસે. (૨) બ્રહ્મચર્યની નવવાહ પીકી એકેક વાડનું સજ્જડ. પાલન, (૩) ચાર કષાયથી મુક્ત એટલે કે ક્રોધ નહિ, માન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy