SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ નવપદ પ્રકાશ આલંબનરૂપ સિદ્ધ ભગવાનને મળે. આટલો પાવર સિદ્ધ ભગવાનનો છે. કેમકે એમનામાં આપણું અવિકૃત સ્વરૂપ દેખાય છે તો જ દુન્યવી સંયોગ-વિયોગોમાં રાગ-દ્વેષથી વિકૃત નહિ બનવા આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. એટલે વિકૃત ન બનવામાં મુખ્ય આધાર-મુખ્ય અસાધારણ કારણ સિદ્ધ બન્યા. તમારા મનમાં નિર્વિકાર સિદ્ધ ભગવાનને રમતા રાખો ને પછી જોઇ લો એની મજા ! સિદ્ધ ભગવાનની નિર્વિકારતાનો અંશે સ્વાદ આવશે, ને જીવન ધન્ય બની ગયું લાગશે ! દિવસની ૧૪૪૦ મિનિટમાં ૧૦ મિનિટ પણ કોઇ તેવો પ્રસંગ કલ્પીને ‘“એની વચમાં પણ હું આવો સિદ્ધ છું'' એવું મનમાં લાવીએ, તો એનો એટલો પાવર છે, કે અવસરે કર્મના મોટા ઝંઝાવાતોમાં આત્માને અવિકૃત નિર્વિકાર રાખવા બળ મળે. તો પૂછો : પ્રભાવ ચિંતનનો ? કે નવકારનો ? પ્ર૦–આમાં પાવર સિદ્ધ ભગવાનનો છે કે આપણા ચિંતનનો ? ઉ –પાવર સિદ્ધ ભગવાનનો છે. ચિંતનમાં બીજું ત્રીજું લાવીએ તો કાંઇ એની આ તાકાત નથી; એ તો ચિંતનમાં ફકત તે સિદ્ધ ભગવાન લાવીએ તો જ આ બને. નવકાર ગણીએ ત્યાં પ્રભાવ કોનો ? ચિંતનનો કે નવકાર મંત્રનો ? પ્રભાવ ચિંતનનો નહીં, પ્રભાવ નવકારનો કહેવાય. એ જ બોલીએ છીએ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો’’ સર્વ પાપનો પ્રણાશક કોણ ? તો કે આ પાંચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy