SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ નવપદ પ્રકાશ કહેવાય. એવી અપેક્ષા ન હોય તે નિરપેક્ષ છે, અનિશ્રિત જીવનવાળો કહેવાય. એ બાદશાહ છે, પ્રભુ છે. ઈરાનનો રાજા હિંદુસ્તાન આવતો હતો. રસ્તા વચ્ચે એક યોગી બેઠેલા. સિપાઈ બોલ્યો ઃ બાવાજી ! વચમાંથી ખસો ઈરાનના બાદશાહ આવે છે.’ યોગી : ‘નહિ ખરું.' સિપાઈ : પણ આ મોટા બાદશાહ આવી રહ્યા છે.’ યોગી : ‘તો હું બાદશાહનો બાદશાહ છું.' હવે, જેાગી હતા એટલે તેમને ઘસેડાય તો નહિ. રાજાઓને પણ પૂર્વકાળમાં સાધુસંતો માટે માન હતું. તો પેલા રાજપુરુષે જઈને બાદશાહને વાત કરી. બાદશાહ ત્યાં આવ્યો કહે ; ‘સાબ ! બાજુમેં બેસો.’ યોગી : ‘કેમ ?' બાદશાહઃ મોટું લશ્કર આવે છે, હું ઈરાનનો બાદશાહ છું.' યોગી : ‘તો હું બાદશાહનો બાદશાહ છું.' બાદશાહ : 'તમારી પાસે લશ્કર-ખજાનો-જનાનો કાં છે ? પછી તમે બાદશાહ શાના?’ જોગી : ‘લશ્કર-ખજાનો અને જનાનો એ તો ભારે ભિખારીપણું અને ગુલામગીરીના લક્ષણ છે, બાદશાહીનાં લક્ષણ નહિ, એટલે જ જે ભયભીત હોય, મોટો ભિખારી હોય ને ગુલામ હોય એને બાદશાહ શાનો કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy