SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ નવપદ પ્રકાશ દા.ત. આપણે પ્રાર્થના કરીએ કે ‘હોઉ મમ તુષ પભાવઓ ભયવં ! ભવ નિવેઓ,’–‘હે ભગવાન્ ! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ હો' ‘ભવનિર્વેદ' એટલે સંસાર પર અભાવ-ગ્લાનિ ‘એ મને હો'–આ જો સાચી પ્રાર્થના હોય, તો આપણા દિલમાં ભવનિર્વેદની આશંસા યાને મારે ભવનિર્વેદ જોઇએ' એવી તીવ્ર અભિલાષા ઊભી થાય છે. એમ ‘મારે ડિલજનોની પૂજા અને પરાર્થકરણ જોઇએ છે એવી ‘ગુરુનળ-જૂના, परत्थ- करणं પ્રાર્થનામાં પણ તીવ્ર અભિલાષા છે. ૬’....વગેરે ૦‘શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; ૦ સયલ સંગ છંડી કરી, ચારિત્ર લેઇશું’’ આ બધી પ્રાર્થના આપણે કરીએ છીએ, એમાં ય શું છે ? પ્રાર્થનામાં ખરેખર તો આશંસા છે. " સાચી પ્રાર્થનામાં ગર્ભિત રીતે આપણી ઉત્કટ આશંસા-અભિલાષા કર્તવ્ય બને છે. પ્રાર્થનામાં તીવ્ર આશંસા છે, તે રહસ્યમય પ્રભુ ! મારે આ જોઇએ છે, મને આ આપો. એમ ગદ્ગદ્ દિલે ગળગળા થઇને પ્રાર્થના કરીએ; એથી દિલમાં તાર ઝણઝણે ને અંતરની આશંસા-આરજુઅભિલાષા વ્યકત થાય. એવી જલદ આશંસા કરવી જોઇએ. પ્ર—ખરેખર જો આશંસા જ જરૂરી છે, તો આશંસા કરો, પણ ભગવાન આગળ પ્રાર્થના કરવાનું શું પ્રયોજન ? પ્રાર્થના કરાવીને આશંસા જ કરાવવી છે, તો એમ ને એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy