SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ આશંસા જ કરાવી શકાય ને ? ભગવાન આગળ પ્રાર્થનાનો ડોળ શા માટે? ઉ0- અલબત્ એમ ને એમ આશંસા કરી શકાય છે પણ પ્રાર્થનાનું જ્યારે ગણધર મહારાજે સૂત્ર મૂકયું ત્યારે એ નિષ્ફળ પ્રાર્થનાનું સૂત્ર તો મૂકે નહિ; સપ્રયોજન સફળ પ્રાર્થનાનું જ સૂત્ર મૂકે. તો અહીં પ્રાર્થના સૂત્રનું પ્રયોજન એ છે કે એમ ને એમ આશંસા કરીએ, તેના કરતાં એ મોટાની સમક્ષ જો કરીએ, તો આશંસામાં જોમ-પાવર-તીવ્રતા આવે, ને આશંસાનો ભાર માથે આવે. દા. ત. ગુરુ આગળ જઈને વિનંતી કરીએઃ “ભગવન્ અમારો ઉદ્ધાર કરો, ત્યાગ-વૃત્તિ કરાવો” તો ત્યાં એમ ગુર આગળ કહેવાથી, ને તેમની પાસેથી કૃપા-આશીર્વાદ માગવાથી ઉદ્ધાર માટે ને ત્યાગવૃત્તિ માટે પાવર આવે છે. ત્યાગવૃત્તિનું જોર-તીવ્રતા આવે છે, તેમ એનો ભાર માથે ચડે છે. એમ સિદ્ધ ભગવંતોને ઉલ્લાસની પ્રાર્થના કરાય એથી ઉલ્લાસની આશંસા જોરદાર બને ! આશંસા-અભિલાષા જોરદાર બનવાથી ઉલ્લાસ લાવવાનો પ્રયત્ન જોરદાર થાય. એ સિદ્ધ ભગવાનના આલંબને થયું તેથી સિદ્ધ ભગવાન જ એ દનારા કહેવાય. એમ સિદ્ધ ભગવાનનું ધ્યાન, એમનું ગુણ કીર્તન થાય, એમ પ્રાર્થના-ધ્યાન-પ્રશંસાદિમાં ઉપકાર સિદ્ધ ભગવાનનો માનવાનો. સિદ્ધ ભગવંતનું આલંબન અનેક રીતે પ્રેરણા આપે છે, સિદ્ધ ભગવંતનું લક્ષ્ય આરાધનામાં ફોર્સ force આપે છે. સિદ્ધમાંથી નિર્વિકારતાનો પાવર મળે - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy